Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates 1.પ્રકાશકીય...કલમે...કા પ્રારંભિક મંગલાચરણ: શુદ્ધ અંત:તત્ત્વ “ અહો ઉ૫કા૨ જિનવ૨નો કુંદનો ધ્વનિ દિવ્યનો; જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો ! તે ગુરુ કહાનનો.” આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં દ્વિતીય શ્રુતસ્કંધના પ્રણેતા, અતિ આસન્નભવ્ય મહાત્મા શ્રી કુંદકુંદાચાર્યદેવ થયા. તેઓશ્રીએ દ્રવ્યાનુયોગના શાસ્ત્રોની રચના કરી. તેમાનું આ નિયમસાર શાસ્ત્ર છે. આ ગ્રંથની સર્વોપરીતા એ છે કે-તે નિજભાવના નિમિત્તે લખાયેલું છે... અર્થાત્ નિજના સંબોધનાર્થે લખાયેલું શાસ્ત્ર છે. જ્યારે સમયસાર છે તે અપ્રતિબુદ્ધ જીવોના સંબોધનાર્થે લખાયેલું શાસ્ત્ર છે. આ રીતે નિયમસાર અધ્યાત્મની ઉચ્ચ કોટિનું અને અપૂર્વ શાસ્ત્ર છે. શ્રી કુંદકુંદદેવ સમયસારની જેમ નિયમસારના માંગલિકમાં પણ ફરમાવે છે કે“ જેવની સુવર્ણવતી મળિવું” કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું હું કહીશ. “ બિન વીર નત્વા”, મારો વીર મારો શાશ્વત ભગવાન છે જે કર્મથી અને ભવથી અને ભવના ભાવથી રહિત છે.. તેને મારો નિશ્ચય નમસ્કાર છે. અને જેમણે પર્યાયમાંથી ભવનો અભાવ કર્યો છે તેવા વી૨ જિનેન્દ્રને મારો વિકલ્પરૂપ-વ્યવહાર નમસ્કાર છે. આ વાતની પુષ્ટિ તેઓશ્રી ત્રીજી ગાથામાં કરે છે. “ નિયમેન યત હાર્ય ” નિયમથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે. ‘નિયમ ’ શબ્દ અભેદ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને સૂચિત કરનારો છે. આ નિયમસાર શાસ્ત્ર તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું હોવાથી આ ગ્રંથમાં શુદ્ધભાવ અધિકાર અને ૫૨માર્થ પ્રતિક્રમણ જેવા અધિકારોનું નિરૂપણ કરી ત્રિકાળી ધ્રુવ આત્માને જયવંત વર્તાવ્યો છે. જેમને આત્માના અસંખ્ય પ્રદેશથી આનંદની ભરતી ઊઠે છે–તેવા પ્રચુર આનંદના રસાસ્વાદી ભાવલિંગી સંત શુદ્ધભાવ અધિકારમાં મૂલથી ચૂલ સુધી પરિણામથી નિરપેક્ષ શુદ્ધાત્માનું સર્વાંગીપણે વિશ્લેષણ કરી અને કા૨ણ ૫૨માત્માને હથેળીમાં બતાવ્યો છે. જૈનશાસનનો પ્રાણ જે ચૈતન્ય દેવતા તેને પ્રત્યક્ષ કર્યો છે. આવો ગંભીર, વચનાતીત સ્વભાવ વાણી દ્વારા કહી શકાતો નથી છતાં પણ મોક્ષમાર્ગે ગમન કરનારા મુનિકુંજરોએ તેમની લેખનીમાં જીવંત કર્યો છે. શ્રી કુંદકુંદાચાર્ય પછી લગભગ ૧૧૦૦ વર્ષ બાદ વી૨નંદી સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય કે જેમના મુખમાંથી મકરંદ ઝરે છે, જેઓ વૈરાગ્યરૂપી શિખરના શિખામણી છે, તેવા વૈરાગ્ય યોગી શ્રી પદ્મપ્રભમલધારિદેવ થયા. તેમણે ટોંચના પરમ પારિણામિકભાવને Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 348