Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 54
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૭ જણાતું નથી; કેમકે જડના હજારેગમે સંગે કરીએ, તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ગ્ય છે. જે ધર્મ પદાર્થમાં હોય નહીં, તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોનાં પરિણામાંતર કરી સંગ કર્યા હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા, કે જેને જ્ઞાની પુરૂષે મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બંનેના અનાદિ સહજસ્વભાવ છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110