________________
શ્રીમદ્ગી અદ્ભુત સ્પર્શશક્તિ
શ્રીમદ્જીના પરિચયમાં આવેલ પંડિત લાલન જણાવે છે:
હવે શ્રીમદ્જીની સ્પર્શેન્દ્રિયનો વિકાસ જોઈએ. આ એક અવઘાન દ પ્રયોગ મુંબઈમાં તેમણે આર્ય સમાજમાં,
જસ્ટિસ તૈલંગનાના પ્રમુખપણા નીચે કર્યો હતો. શ્રીમદ્જીને આંખે પાટા બાંધી
એક પછી એક પુસ્તકો આપવામાં આવ્યા, અને તેનું નામ કહેવામાં આવ્યું.
શ્રીમદ્જીએ તે પુસ્તકો પર બરાબર હાથ ફેરવી તે મૂકી દીધાં. આ પ્રમાણે પચાસેક પુસ્તકો તેમના હાથમાં આપવામાં આવ્યા હતા.
ઉપર જણાવેલ વિધિ કર્યા પછી એમાનું કોઈ પુસ્તક માંગવામાં આવે, તે પુસ્તક શ્રીમજી બઘા પુસ્તકો પર હાથ ફેરવીને અથવા એમાંના કોઈ પુસ્તકનો અનુક્રમ નંબર આપીએ તો તે પુસ્તકનું નામ આપી તે પુસ્તક પણ શોથી આપતા.
આ પ્રમાણે આપણે જે ચક્ષુથી જોઈએ છીએ તે શ્રીમદ્ સ્પર્શથી જોઈ શકતા હતા.”
૪0