Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 550
________________ શાંતસુધારસ આ વ્યાધિઓનો અભ્યાસ અને વ્યાધિના ઉપાયોનુ ચિતવન એ કરુણાભાવના છે. આ વ્યાધિઓને એક જ ઉપાય છે અને તે ગેયાષ્ટકમાં રજૂ કરવાનો છે. છે ૭. આવી રીતે પ્રાણીઓ પારકાના દુખોનો વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયે વિચારે તેથી અર્થાત સહાનુભૂતિ અને ભૂતદયાના વિચારોને પરિણામે મન પ્રસાદ પામે છે. એ મન પ્રસાદ એ માનસિક સુખ છે. એ સુખને બે અતિ ઉપયોગી વિશેષણો આપવામાં આવ્યા છે નિર્વિકાર અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનાર” સુખ એટલે પરમાનંદ આનદ અહી યૌગિક સમજવો. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારનો ફેરફાર થતો નથી. દુકામાં કહીએ તો તે આન દ સ્થિર અને સ્થાયી થાય છે. વ્યવહારુ આનદ ક્ષણમાં નાશ પામી જાય છે તેને અને આ આનદને કઈ પ્રકારને સંબંધ નથી શાશ્વત આનદ એ અપૂર્વ વસ્તુ છે અને એ ભાવિતાત્માને જ પ્રાપ્ય છે. એ સુખ ભવિષ્યકાળમાં મહાકલ્યાણ કરનાર છે. પરમ કલ્યાણ એટલે સાધ્યની સદાને માટે પ્રાપ્તિ. તે સર્વ પ્રયાસતુ સાધ્ય અને પ્રાપ્ત કરવાનું અતિ સુંદર પરમ સ્થાન છે. ભૂતયા ચિતવનાર, સસારને એના સાચા સ્વરૂપે નિહાળનાર, માનસવિદ્યાના ધોરણે સમજનાર, વિકાસક્રમની શ્રેણીના પ્રત્યેક પાનને સમજનાર અને દુખમા મગ્ન થયેલા પ્રાણીરાશિને બહાર કાઢવાના ઉપાયો વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવોને આ સર્વ શક્ય છે એમને વિશાળ આત્મા ઉચ્ચ ઉડ્ડયન કરે છે, છતા એ નીચામાં નીચા સ્થાનની પ્રત્યેક કૃતિઓ સમજવા યત્ન કરે છે, તેના પ્રેરક મૂળ કારણોને સમજે છે અને સર્વને ઘટતુ સ્થાન આપી પોતાની ગતિ વધારતો જાય છે. આ પરદુ અમુક્તિના ઉપાય શા છે કે હવે આપણે નીચે વિચારશુ અત્યાર સુધી આપણે સાસારિક-એહિક ભાવને અને બાહ્ય અને આભ્ય તરમાં ગૂ ચવાઈ ગયેલા પ્રાણીઓના ચિત્રો જોયા અને એ જોવાને કારણે આપણે પણ જાણે એમનાં દુ ખથી મૂઝાતા હોઈએ એવી મનોદશા ઊભી કરી હવે આપણે તેનું અવલોકન પણ કરશુ અને ઉપાયોને વિચાર પણ કરશુ.

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608