Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 598
________________ કરે શાંતસુધાશ્મ આત્મપ્રાંસાના પ્રાગો વ્યવહારમાં આવે છે તેટલા જ ધાર્મિક બાબતમાં પણ જોવામાં આવે છે. એક સાધારણ સ ઘની વાતો કરે ત્યારે તે પોતાના રાંધને ભરત ચક્રવતીના સંઘ સાથે સરખાવે અથવા અધાં પૃષ્ઠનું અધવસ્થિત કાવ્ય (જોડકાસુ) લખી તેની પછવાડે બે પક્તિ જેટલું પોતાનું નામ લખે ત્યારે આપણને ચીડ આવે છે. પશુ એવા સંગમાં એના આત્માનો વિકાસ અને કર્મનો વિપાક તથા મહારાજાના જાસુસેના કાર્ય પર વિચાર કરી મનને સ્થિર રાખી શકે એની બલિહારી છે ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરતા, વિધિમાર્ગની ગૃચવને નિકાલ કરતાં, નિત્યાનિત્ય, ભેદભેદાદિ પ્રશ્નો પર વાદવિવાદ ચાલતા ટપાટપી થઈ જવાના પ્રસંગે માધ્યશ્ય છે એ વઘ છે એ આપણે આદર્શ છે. આ મુશ્કેલ પ્રસંગ છે, પણ વધારે ધ્યાન રાખવા યોગ્ય છે. ધર્મચર્ચામા નરકના દ્વારા બતાવનાર, પોતાના મતથી જુદા અભિપ્રાય ધરાવનારને દિનેપમાં આપનાર કે અપશબ્દ બોલનાર પોતાને મુદો મજબૂત કરતા નથી. અહી એ વાતને સવાલ નથી પણ એવો પ્રસંગ આવે અને સામે તમને નરકના દ્વારા બનાવે કે અગ્ય સવાલો જાહેરમા પૂછી અપ્રસ્તુત બાબતે તેમાં દાખલ કરી, જેણે તમે તેનાથી મહાન થઈ ગયા છે એ દેખાવ કરે ત્યારે મધ્યસ્થવૃત્તિ રાખવી એ આ ભાવનાનો ઉદ્દેશ છે. આ પ્રાણી કેાઈ મનુષ્ય ઉપર અથવા કઈ વસ્તુ ઉપર અથવા કોઈ ભાવ ઉપર રાગ કે ટેપ કરતો હશે ત્યારે તે કદી વિચારતો હશે કે એમ કરવામાં એ શું કરે છે? રાગના પાત્ર પ્રાણું ચીજ કે ભાવ બેસી રહેવાના નથી, પોતે બેસી રહેવાનો નથી, કરેલ રાગને અનુભવ પણ ઊડી જવાનો છે, તે પછી આ બધી ધમાલ અને રતિ કે અગતિ શા માટે ? સર્વ સગોમા મનને નિશળ રહેતા શીખવવાનું છે મનની ચંચળતા સર્વથી વધારે નુકસાન કરનાર છે મન પર વિજય એટલે જીવનયાત્રાનું સાફલ્ય છે એ રાજાગ છે. માધ્યચ્યું કે ઔદાસીન્ય ચચળ મનવાળા બહુધા પ્રાપ્ત કરી શકતા નથી, અને અન્ય પ્રાણીઓ પિતાના કાર્યોના ફળ લેવાના–મેળવવાના જ છે એને અને આપણામાં સકારણ કે અકારણ ઉશ્કેરણી ઘટતી નથી. ઉદાસીનભાવ જરા ભાવી જુઓ આપણે જાણે સાક્ષીભાવે બેઠા છીએ, હાથપગ જોડી શાંત થઈ જોયા જ કરીએ છીએ અવલોકન કરીએ છીએ અને જાણે આપણી આસપાસ જે નાટક થાય છે તેની સાથે આપણને પોતાને કોઈ લેવાદેવા નથી આ સ્થિતિમાં એવા એવા સત્ય સમજવામાં આવશે કે જેને ખ્યાલ કદી સ્વપ્ન પણ નહિ થયો હોય એવું કોઈ પણ હકીકત સાથે તાદામ્ય કર્યું કે તરત સાક્ષીભાવ ચાલ્યો જાય છે અને પછી તે મોહરાજા પિતાનું લશ્કર છોડી મૂકે છે. મનેવિકારને ચકરાવે ચડ્યા એટલે કોધ, માન, રતિ, અરતિ, શોક વગેરે ઘાણ કાઢી નાખે છે અને પ્રાણીને કદી ઊ એ આવવા દેતા નથી ગાધિરાજ પરમાત્માએ કદી વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો નથી એની પાસે ઈદ્ર આવે કે ચક્રવતીઓ આવે છે ત્યા પણ સાક્ષીભાવ અને ગોશાળક એમના શિષ્યો પર તેલેશ્યા

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608