SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસ આ વ્યાધિઓનો અભ્યાસ અને વ્યાધિના ઉપાયોનુ ચિતવન એ કરુણાભાવના છે. આ વ્યાધિઓને એક જ ઉપાય છે અને તે ગેયાષ્ટકમાં રજૂ કરવાનો છે. છે ૭. આવી રીતે પ્રાણીઓ પારકાના દુખોનો વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયે વિચારે તેથી અર્થાત સહાનુભૂતિ અને ભૂતદયાના વિચારોને પરિણામે મન પ્રસાદ પામે છે. એ મન પ્રસાદ એ માનસિક સુખ છે. એ સુખને બે અતિ ઉપયોગી વિશેષણો આપવામાં આવ્યા છે નિર્વિકાર અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનાર” સુખ એટલે પરમાનંદ આનદ અહી યૌગિક સમજવો. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારનો ફેરફાર થતો નથી. દુકામાં કહીએ તો તે આન દ સ્થિર અને સ્થાયી થાય છે. વ્યવહારુ આનદ ક્ષણમાં નાશ પામી જાય છે તેને અને આ આનદને કઈ પ્રકારને સંબંધ નથી શાશ્વત આનદ એ અપૂર્વ વસ્તુ છે અને એ ભાવિતાત્માને જ પ્રાપ્ય છે. એ સુખ ભવિષ્યકાળમાં મહાકલ્યાણ કરનાર છે. પરમ કલ્યાણ એટલે સાધ્યની સદાને માટે પ્રાપ્તિ. તે સર્વ પ્રયાસતુ સાધ્ય અને પ્રાપ્ત કરવાનું અતિ સુંદર પરમ સ્થાન છે. ભૂતયા ચિતવનાર, સસારને એના સાચા સ્વરૂપે નિહાળનાર, માનસવિદ્યાના ધોરણે સમજનાર, વિકાસક્રમની શ્રેણીના પ્રત્યેક પાનને સમજનાર અને દુખમા મગ્ન થયેલા પ્રાણીરાશિને બહાર કાઢવાના ઉપાયો વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવોને આ સર્વ શક્ય છે એમને વિશાળ આત્મા ઉચ્ચ ઉડ્ડયન કરે છે, છતા એ નીચામાં નીચા સ્થાનની પ્રત્યેક કૃતિઓ સમજવા યત્ન કરે છે, તેના પ્રેરક મૂળ કારણોને સમજે છે અને સર્વને ઘટતુ સ્થાન આપી પોતાની ગતિ વધારતો જાય છે. આ પરદુ અમુક્તિના ઉપાય શા છે કે હવે આપણે નીચે વિચારશુ અત્યાર સુધી આપણે સાસારિક-એહિક ભાવને અને બાહ્ય અને આભ્ય તરમાં ગૂ ચવાઈ ગયેલા પ્રાણીઓના ચિત્રો જોયા અને એ જોવાને કારણે આપણે પણ જાણે એમનાં દુ ખથી મૂઝાતા હોઈએ એવી મનોદશા ઊભી કરી હવે આપણે તેનું અવલોકન પણ કરશુ અને ઉપાયોને વિચાર પણ કરશુ.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy