SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ કારુણ્યઃ ગેયાષ્ટપરિચય ૧. ઉપર જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે હૃદયદ્રાવક છે. જાણે આખો સંસાર અવળે માગે ઊતરી ગયો હોય, જાણે એહિક સુખમાં અથવા મનોવિકારના વમળમાં વલખા મારત એ આત્ય તર દુશ્મનોને વશ પડી ગયો હોય એમ લાગે છે કરુણાભરપૂર હૃદયવાળાને આ આખા દશ્યના અવલોકનથી ખૂબ ખેદ થાય છે. એને સ્વપરદયાનો ખ્યાલ બરાબર હોય છે. એ પોતાની જાતને અન્યના સ્થાનમાં મૂકી શકે છે અને પરદાન ચિ તવનમાં સ્વદયા સિદ્ધ થઈ શકે છે એમ એ સમજે છે. એ વસ્તુના ઉપરઉપરના ખ્યાલોથી કદી લેવાતો નથી. એ અંતરથી આ સર્વ દેખાવો વિચારી, અવલોકી, આદ્ર થાય છે. એના દુ અને ઉપાયોને શોધનારા તેને સમુચિત દિલાસે મળે તેવી ગભીર રચના હવે રજૂ કરતાં વિનયવિજય મહારાજ ગાય છે “સજ્જનો! તમે તરના ઉમળકાથી ભગવતને ભજો.” આ એક વાક્યમાં પરદુ ખનિવારણને ઉપાય બતાવે છે. બીજા પણ ઉપાય બતાવશે. પ્રથમ આ ચમત્કારિક ઉપાયની વિશિષ્ટતા જોઈએ. , તમે ભગવંતને ભજે જે તમારે ઉપરના સર્વ દુ ખો, ઉપાધિઓ અને અગવડો દૂર કરવાં હોય તો તમે ભગવાનને ભજે તમે કેણ છે? તમે સજજન છે, સુજન છો, મોક્ષાભિલાષી છો, મોક્ષ જવા ચોગ્ય છે. સજજનના નામને યોગ્ય કોણ ગણાય તે તમે અગાઉ જોઈ ગયા છે. આવા સજજન તમે છે. તે પછી ભગવાનને ભજો. એ ભગવાન કેવા છે? એ સર્વજ્ઞ, સર્વદશી, કઈ જાતના બદલાની ઔશા વગર ધર્મોપદેશ દેનાર, સાચો માર્ગ બતાવનાર અને ભૂતદયાના સાગર છે એવા મહાકૃપાળુ પરમાત્માને તમે ભજો એ ભગવાન એમનું શરણ કરનારને આશ્રય આપનાર છે અને બદલાની અપેક્ષા કે આશા વગર કરુણારસના ભડાર છે તેમ જ અન્યને તેને લાભ આપનાર છે. એમની ભાવના જ્યારે સર્વ પ્રાણીને કર્મબ ધનથી મુક્ત કરવાની થાય, એમના આત્મદર્શનમાં સમસ્ત જ તુઓનું હિત આવે ત્યારે એ વિશાળ હૃદયવાળા મહાત્મા તીર્થ કર થવા યોગ્ય કર્મ બાંધે છે અને એ વિશાળતા તેમનામા સતત ચાલુ રહે છે. આવા નિષ્કારણ કરુણા કરનાર ભગવાનને તમે ભજે ' એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુબેમાથી રક્ષણ કરનાર છે. એમનો ઉપદેશ જ એવા પ્રકારનો હોય છે કે તેઓ દુ ખેમાથી રસ્તો બતાવે અને પ્રાણીઓને વિકાસ કરે. , આવા નિષ્કારણ કરુણા કરનાર અને દુખમાંથી રક્ષણ કરનાર ભગવાનને કેમ ભજાય? એમની પાસે ધૂપ-દીપકાદિ કરવામાં આવે તે 'છે, એથી તો માત્ર આદર્શ સન્મુખતા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy