Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતાંબર પર’પરા મુજબ ઈશાનના ચારૢ હાથમાં પિનાક, ત્રિશૂળ, સર્પ અને કમળ હોવાનું જણાય છે. આ સ્મૃતિવિધાન અંહી બંધ બેસે છે. આ સ્મૃતિ ઈ.સ.ની ૧૧મી સદીની માલૂમ પડે છે. ખ'ડિત છે. ૬. દ્વારશાખનાં શિયા * આ ઠારશાખ રાજસ્થાનના બૈરાટ ગામમાંથી પ્રાપ્ત થયેલાં છે, એ શ્રી વાકાણી તરફથી સંસ્થાને ભેટ મળ્યાં છે. એ સૌથી ઉપરના ખતુ માપ ૧૦૪ × ૫૧ સે.મી. છે. નીચેના બે સ્તનોનું અલગ માપ ૭૦ × ૪૫ સે.મી. છે. કોઈ જૈન મહામ`દિરના મુખ્ય પ્રવેશદ્વારની છે. હાલ એના પાંચ ખંડ ભે. જે. વિદ્યાભવન(સામાન્ય પરિગ્રહણાંક ૧૫૭૮૦)માં સુરક્ષિત છે. આ શિલ્પમાં લીટસ્ (પાટડા) પર ત્રણ શિલ્પ પ`ક્તિ છે. એમાં સસ્તુંથી નીચે પુષ્પાકનો છે. મધ્યની પોક્તિમાં લલાટભિખમાં તીય કરની મેહેલી આકૃતિ છે. આસનની પાટલી સુરક્ષિત છે. તીથ કરતુ મસ્તક ખંડિત છે. જેમની છાતીમાં શ્રીવત્સનું લાંછન છે આ મૂર્તિની પ્રત્યેક બાજુ એક એક ચામરધારી, એક એક હસ્તિ અને એક એક નક તથા એક એક વાદક દ્રષ્ટિગાચર થાય છે. આના પ્રત્યેક છેડે એક એક દેવી (યક્ષી ?) કડારેલી છે. ડાળી બાજુના ગવાક્ષની દેવીના હાથમાં અંકુશ, વરદ, ફળ અને ફૂલ છે. જમણી બાજુની દેવીના ઉપલા અને હાથમાં નકુલિકા અને બાકીના એમાં વરદ અને ફળ છે. તે દેવીએ સાડી, કટકવલય, કંઠહાર, મેખલા, કુંડલ અને સજાવેલા ધાટની કેશરચના કરેલી છે. સહુથી ઉપરની પંક્તિમાં ક ડારેલી આઠ આકૃતિ પૈકી એક માલાધારી અને સાત પુષ્પધારીઆની છે, વળી એમાં ચાર શ્રાવકો નજર પડે છે, ડાબી બાજુના શ્રાવક ભારે ખંડિત થયા છે. જમણા ખૂણામાં એક મૃગવાદક કોતર્યા છે અને એ નકા ડાબા ખૂણામાં ક’ડાર્યા છે. હારી છે. ધારણ બારશાખની ડાખી બાજુ ઊભી હરોળમાં ઉપરથી નીચે ત્રણ દેવીઓની મૂર્તિ સહુથી ઉપર ચક્રેશ્વરી છે. ચતુર્ભુજ દેવીએ પોતાના હાથેામાં ચક્ર, ચક્ર, વરદમુદ્રા અને કરેલ છે. અહી’ વાહન ગરુડ સ્પષ્ટ નજરે પડે છે. મધ્યમાં દેવી પાશાંકુશા છે, જેના ઉપલા બે હાથમાં પાશ અને ફળ છે અને નીચલા જમણા હૉથ વરદમુદ્રામાં તથા નીચલો ડા ખંડિત છે. જેનુ વાહન હાથી નજરે પડે છે, જે ખંડિત છે. છેક નીચે ત્રિશુલ, ત્રિશૂલ, વરŕક્ષમાર્થા અને ચોથા હાથમાં ફળ ધારણ કરેલ છે. આ દેવીનું વાહન હંસ જાય છે, જમણી બાજુની બારસાખમાં ઉપરથી નીચે ત્રણ દેવીઓની આકૃતિ છે, જેમાં અનુક્રમે પુરુષદત્તા, વજ્ર કુશા અને તેની નીચે મનસા દેવી છે. પુરુષદત્તાના હાથમાં ખડ્ગ, ખેટક, વરદ અને ફળ છે. વાહન પ્રાયઃ મહિષ જણાય છે. વજ્રા શાના હાથમાં વજ્ર, અંકુશ, વરદ અને ફળ છે. તેનું વાહન હાથી છે. મનસાના હાથમાં શૂલ, અકુશ, વરદાક્ષ અને મુદ્રા ધારણ કરેલ છે, જ્યારે તેનું વાહન હંસ છે. ડાખી બારશાખમાં નીચે દ્વિપાલ ઇન્દ્ર અને જમણી બારશાખની નીચે વરુણુ છે. ઇન્દ્રના હાથમાં વજ્ર, અંકુશ, વરદ દેખાય છે. તેનુ વાહન હાથી છે. વરુણુના હાથમાં પાશ, વરદ અને ફળ છે. વાહન ખ`ડિત છે. અને ખારશાખાની અંદરની બાજુએ વેલપત્તીનાં રૂપાંકન કર્યાં છે. બહારની બાજુએ એક સરખા સ્વરૂપની વાદકોની ઊભી હરોળ નજરે પડે છે. જેમાં ઉપરથી નીચે જતાં વીણાવાદક, પખવાજવાદક, ઢોલક કે મૃગવાક, કરતાલવાદ્ક, મજિરાવાદ, ધંટવાદક, ડમરુવાક, મુરલીવાક વગેરે છે. બધા દેવદેવી વરમુદ્રામાં છે, ડાબી બાજુ ફળ મુદ્રા સાથે પકડેલુ છે. દેવદેવીઓના વાળ ઓળીને પાછળ લીધેલા છે. સ્લેટિયા સપાટ પથ્થરમાંથી બનાવેલ દ્વારશાળ મેવાડી શૈલીનું જણાય છે. ખૂબ ભો. જે. વિદ્યાભવન અમદાવાદનાં કેટલાંક જૈન શિલ્પે] [૫૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103