Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આના ઉપસ્થી એમ ફલિત થાય છે કે અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહે મસ્જિદેના ઈમામને સરકારી તિજોરીમાંથી પગાર આપવાની પ્રથા શરૂ કરી હોવી જોઈએ કેમ કે સિકંદરે ચાર પેઢીને ઉલ્લેખ કર્યો છે. ગુજરાતની સમૃદ્ધિ પંકાયેલ હતી. મનુષ્ય, મનુષ્ય છે એ સમયના સરકારી કરો ૫ણ આજના સરકારી કર્મચારીઓની જેમ કંઈ ચીવટથી કામ કરતા ન હતા. એ જેમ ચાલે છે તેમ ચાલવા દે, રાજ્યની તિજોરી ઉપર બોજો આવે એમાં આપણને શુ ? " જેમ આજે બતિયા રાશન કાર્ડ હોય છે તેમ એ જમાનામાં ભૂતિયા ઈમામે હતા. સરકાર તરફથી કોઈ સુવિધાને દુરુપયોગ કરવાની પ્રજાની વૃત્તિ અને પ્રકૃતિ દરેક કાળમાં, દરેક કામમાં અને અને દરેક દેશમાં સરખી જ હોય છે - સુલતાન મહમદ બીજાને અમીર દરયાખાને આમ તે ખૂબ લંપટ અને ઐયાશ હતા, પણ સાથે. સાથે ખૂબ સખા અને ધનવીર હતો એણે પોતાના સમયના એક એક દરવેશ અને ફકીરને વછકાએ અને જમીન આપી હતી. બાલ બચ્ચાં દાર સિપાહીઓને એમની જાગીર ઉપરાંત, વજીફાઓ (આર્થિક સહાય, સ્ટાઈપેન્ડ) બાંધી આપ્યા હતા. એટલે સુધી કે કારનો અને દીવાનના હાથે મામલે વિલંબમાં ન પડે એ માટે એણે નામ અને જમીનથી જગ્યા ખાલી રાખીને, સુલતાનની મહારવાળા તતાવેજ તૈયાર રાખ્યા હતા. એને ખબર પડે કે કઈ માણસ ખૂણામાં ખુદાની યાદમાં મશગૂલ છે તો તરત જ એ ખાલી જગ્યા પૂરીને ફરમાન બહાર પાડતે હતો.૨૩ “ ' ' ' એને અર્થ એમ થાય કે પાછળથી લોકોએ કરીને એક ધંધા તરીકે વિકસાવ્યા. ધર્મના ઓઠા હેઠળ આળસુ અને સમાજ ઉપરે બોજા સમાન એક વર્ગ ઊભો થયો. જહાંગીરના સમયના પાટણના એક વિદ્રાને મૌલાના મોહમદ સિદ્દીકે આવા વગની' ખૂબ ટીકા કરી છે. એના મૂળિયાં ગુજરાતના સલતાનના આવા પ્રકારના વલણમાં રહેલા હતા. બીજુ, એ કે સરકારી કામોમાં વિલંબ થતો હતો. Red Tapesha ત્યારે પણ હતું તેથી જ તો સુલતાનના સહી સિક્કાવાળા દસ્તાવેજ, માત્ર નામ અને જગ્યા ખાલી રાખીને તૈયાર રાખવામાં આવતા હતા. મ્યુરોક્રસીમાં વિલંબ અનિવાર્ય છે. મધ્ય યુગ હોય કે આધુનિક. ', આપણે આગળ વાંચ્યું તેમ મહમૂદ બેગડાએ પિતાના લશકરના લોકોને વ્યાજે પૈસા લેવાની મના ફરમાવી હતી, તેમજ મજકુર દરયાખાને બાળબચ્ચાંવાળા સિપાહીઓને અધિક ભથ્થાઓ બાંધી આપ્યા હતા. એનો અર્થ એવો ન થાય કે, આ વમને તે સમયની માંધવારીના પ્રમાણમાં, પગાર ઓછો મળતો હોવો જોઈએ? આમ નાની નાની ઘટનાઓ અને પ્રસંગે જે મિતે સિકંદરીમાં નેધાયાં છે. તેમાંથી અમક અર્થધટન કરીને તે સમયના સમાજના દર્શન કરાવવાને આ લેખને હેતુ છે. હા, આ લેખને વિસ્તારી શકાય, પણ જગ્યાના અભાવે અહીં વિરમું છું ? ; , ૧. સતીષચંદ્ર મિશ્રા (સંપા.); “ મિતે સિકંદરી,’ એમ. એસ. યુનિ. પ્રકાશન, ૧૯૬૧, પૃ. , ૨. એજન, પૃ. ૩૮૭ . ૩. પૃ. ૯૨ ૪. પૃ. ૩૩૯ : ૫. પૃ. ૩૪૮. ૨ ૬. પૃ. ૨૧૫ - ૭, પૃ. ૬૬ - ૮, પૃ. ૨૪૭ ૯ પૃ. ૧૬૫ : ૧૦, ૫. ૨૧૦ .. -- ૧૧, પૃ. ૧૦૪ ૧૨. પૃ. ૨૪૫ ૧૩. પૃ ૧૪૪ ૧૪, પૃ. ૧૬૩ - ૧૫. પૃ. ૪૩૮ - ૧૬ પૃ ૧૬૨; , " ૧૭. પૃ. ૧૬૪ ૧૮. પુ. ૧૬૪ - ૧૯: પૃ. ૧૬૪ ૨૦. પૃ. ૪૨૦ - ૨૧ પૃ. ૨૧૭ ૨૨ પૃ.૨૧૮ ૨૩. પૃ.૩૩૨, સામીય : ઓ , '૯૨-માર્ચ-૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103