Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 246
________________ (૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન ૪૩૩ ૪૩૪ પ્રતિક્રમણ બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયા હોઈએ તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ? દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો તો શું બગડી જાય ? પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે. દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું. પ્રશ્નકર્તા : આપણે જે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ એ જ સામૂહિક પ્રતિક્રમણને ? દાદાશ્રી : હા, એ જ સામૂહિક. વ્યક્તિગત પ્રતિક્રમણ વ્યક્તિગત પ્રતિક્રમણ કોનું કરવું પડે ? કે જેની જોડે આપણને થતું હોય. સામૂહિકમાં તો આપણે પૂર્વભવનાં કર્મો હોય, બીજાં બધાં કયાં હોય, ઓળખીતા ના હોય, તમને મારાથી કંઈ વાગ્યું હોય, એવું પોતે જાણતો ના હોય, એ બધાનું સામૂહિક પ્રતિક્રમણ કરવાનું. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ વાગ્યો છે, તો પછી મારે એનું વ્યક્તિગત પ્રતિક્રમણ કરવું પડે. તે તરત જ કરી નાખવું જોઈએ. જોરદાર અવસ્થાઓ અવરોધે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : દાદા, હું ઘણીવાર ભૂલ થાય તો આપને યાદ કરી, હે દાદા ભગવાન, મારી ભૂલ છે તેની હું માફી માગું છું.” પછી લાંબુ પ્રતિક્રમણ કરતી નથી. દાદાશ્રી : માફી માંગે તો કશો વાંધો નહીં પણ ખાસ કરીને પ્રતિક્રમણ કરવું. ના થાય એવું હોય તો માફી માંગવી. પ્રશ્નકર્તા : ઘણીવાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને તે પ્રતિક્રમણ ના થવા દે. દાદાશ્રી : તેની માફી માંગી લેવી. બોમ્બાર્ડિગ, અતિક્રમણોની પ્રશ્નકર્તા : એક કલાકની અંદર પાંચ-પચ્ચીસ અતિક્રમણ થઈ જાય. દાદાશ્રી : તો એનાં પ્રતિક્રમણ ભેગાં કરીને થાય. સામટાં થાય એટલે પ્રતિક્રમણ સામટાં કરું છું, એમ કહીએ. પ્રશ્નકર્તા : એ સામટાં પ્રતિક્રમણ કેવી રીતે કરવો ? દાદાશ્રી : આ બધા બહુ અતિક્રમણ થયાં છે તેનું સામટાં પ્રતિક્રમણ કરું છું. જે વિષય પર અતિક્રમણ થયાં હોય તે વિષય બોલવો કે આ વિષય પર, આ વિષય પર સામટાં પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહે એ ધોઈ આપીશું અમે. પણ એને લીધે બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય મહીં રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. એક ભાઈ મને કહે, ‘દાદા, એક દહાડામાં મને બે-બે હજાર પ્રતિક્રમણ કરવા પડે છે. તે મારે શું કરવું ? હું થાકી જાઉં છું.’ એટલે એને અમે ભેગાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બે-બે હજાર પ્રતિક્રમણ માણસ શી રીતે કરી શકે ? બે-બે હજાર વખત બોલવું ન કરવું, શી રીતે કરી શકે ? હવે જેટલા દોષ દેખાય તે જતા રહે પાછા ને પાછા બીજા આવે. જેટલા દોષ દેખાયા એ મુક્ત થઈને ગયા. ત્યારે કોઈ કહે કે “એવો ને એવો દોષ ફરી દેખાયો છે.' ત્યારે કહીએ કે એના એ જ દોષ ફરી ના આવે. પણ આ ડુંગળીનાં પડ હોય છેને, એક કાઢીએ એટલે પાછું બીજું આવીને ઊભું રહે, તેમ આ દોષ ડુંગળીના પડવાળા હોય છે. એકની એક વસ્તુનું આપણે એક પડ કાઢીએ ત્યારે બીજું પડ ઊભું રહે એટલે એનું એ જ પડ ના હોય, એ તો ગયું જ. આ ત્રીસ પડ હતાં તેનાં ઓગણત્રીસ

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307