Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 276
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. આ જ્ઞાન એવું છેલ્લા પ્રકારનું જ્ઞાન છે કે પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો જેને ગુજરાતી ચાર ચોપડીઓ આવડે, તેને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ, ત્યાર પછી વચલા સ્ટાન્ડર્ડનું બધું શું થાય તે ? એટલે આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું વચ્ચે. નહીં તો આ જ્ઞાનમાં હોય નહીં છતાં અમારી જવાબદારીથી મૂકેલું. ૪૯૩ શુદ્ધાત્મા સિવાયનો બધો જ કચરો, એમાંથી એક ક્રમણ અને બીજું અતિક્રમણ. શુદ્ધાત્માની બહારનું જે જે છે તે બધા જ દોષ છે ને તેનું પ્રતિક્રમણ કરવું પડે. અક્રમ વિજ્ઞાતતી બલિહારી તો જુઓ !!! પ્રશ્નકર્તા : આપના સ્વમુખે આ ખુલાસો સાંભળ્યો એટલે અમને સંતોષ થયો. દાદાશ્રી : એટલે આમાં તમે છૂટ્ટા જ છો. પ્રતિક્રમણ જોડે ને જોડે થાય છે, ત્યાં આગળ પછી હવે કોણ નામ દેનાર છે, બોલો ? પ્રશ્નકર્તા : અમારે પ્રતિક્રમણ આ દેહથી ક્ષણે ક્ષણે રાત-દા'ડો ચાલુ જ રહે છે. એનાથી હજુ પ્રતિક્રમણની શરૂઆત થાય ત્યાર પહેલાં તો પેલું અતિક્રમણ અદૃશ્ય થઈ ગયું હોય. દાદાશ્રી : આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન તરત જ કામ કરનારું છે. આ અક્રમ વિજ્ઞાન આખો સિદ્ધાંત જ છે અને સિદ્ધાંત જ ફળ આપશે. જેમ ડુંગળીની એક ‘સ્લાઈસ’ (પડ) કાપો, તે ડુંગળીના બધા જ ગુણ દેખાડે, એવું આમાંથી એક સ્લાઈસ’ જ કાપો તો સિદ્ધાંતનું જ ફળ આપશે અને અજ્ઞાનની એક સ્લાઈસ’ કાપો તો એ અજ્ઞાનનું ફળ આપશે. એક ‘સ્લાઈસ’ ખાલી, એના ગુણ દેખાડે કે ના દેખાડે ? પ્રતિક્રમણ આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ ‘વિજ્ઞાન’ અને કરવાપણું હોય એનું નામ ‘જ્ઞાન'. ૪૯૪ વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ આપણે કશુંય નથી કર્યું અને શું છે આ ! એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે ! ‘અક્રમ’, ક્રમ-શ્રમ નહીં ! ܀ ܀ ܀ ܀

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307