Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 299
________________ સામાયિકની પરિભાષા એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે, એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ? ૫૩૯ દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં, ખાલી જોવાનું જ હતું. પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી, આ આત્માની ક્રિયા છે. આ આત્માની ક્રિયા છે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવાદેવા નથી. દેખાય આત્માતું ચારિત્ર પ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ? દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતાં સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યુંને આપણને ! આ ચારિત્ર કહેવાય, પ્યૉર ચારિત્ર કહેવાય ! જે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તો આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ? પાટીદારને હઉ દેખાયું ? પ્રશ્નકર્તા : ચોખ્ખું દેખાયું. દાદાશ્રી : સાપ મળ્યો હોય તોય માર્યા વગર જવા ના દે એવા પાટીદારો, એમને પણ દેખાય ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો કહેવાય ! આ વર્લ્ડની અજાયબી કહેવાય ! એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક માટે શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ? આ દાદાએ શું આપ્યું છે એ તમને સમજાઈ ૫૪૦ ગયુંને ? પ્રતિક્રમણ પછી સ્વયં ખોતર ખોતર થાય આખો દહાડો મારી જોડે બેસી રહ્યા છો તે ખોટ ગઈ નથી ? પ્રશ્નકર્તા : કશી ખોટ નથી ગઈ. દાદાશ્રી : ત્યારે શા હારુ મારી જોડે રખડતા નથી ? આમ દુનિયામાં રઝળવું તેના કરતાં અહીં રઝળવું શું ખોટું ? પ્રશ્નકર્તા : એ તો મોટો રઝળપાટ કહેવાય. આને રઝળપાટ ના કહેવાય. દાદાશ્રી : આખા બ્રહ્માંડનું રાજ આપ્યું છે. જે સાધુ-આચાર્યો કોઈ દહાડોય પામે નહીં, એ તમને આપ્યું છે. ‘હું શુદ્ધાત્મા છું’ કરીને પતંગ ઉડાડી આપી. આ તો આગળ ઉપર હિંસાનું સામાયિક કરાવેલું, તે ઘેર જાય તોય, સંડાસમાંય હિંસાના ને હિંસાના દોષો દેખાવાનું ચાલુ જ રહે મહીં, તે બંધ ના થાય. ત્રણ દહાડા સુધી ચાલુ રહેલું. ખોતર ખોતર ખોતર ખોતર થયા જ કરે. તે વિધિ કરીને બંધ કરાવેલું. અડતાળીસ મિનિટ જ શાને ? પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં સામાયિકમાં કોની આજ્ઞા લેવાની ? દાદાશ્રી : અમારી ગેરહાજરી હોતી જ નથી, અમે ત્યાં હાજર જ હોય. અને તમારે ત્યાં તો ગેરહાજર રહે જ નહીં. તમે તો બહુ ચોક્કસ પાકા ! પ્રશ્નકર્તા : સામાયિક ઓછામાં ઓછી કેટલો સમય કરાય ? દાદાશ્રી : ઓછામાં ઓછી આઠ મિનિટ ને વધારેમાં વધારે પચાસ મિનિટ.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307