Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 302
________________ સામાયિકની પરિભાષા પ૪૫ પ૪૬ પ્રતિક્રમણ ગાડી હાંકતા હાંકતા રહે કે ના રહે ? એવું હોવું જોઈએ. આત્મા પોતે જ સામાયિક છે. શક્તિઓ તો બધી અનંત છે પણ પ્રગટ થઈ નથી. છૂટું પાડવાની સામાયિક આજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુભાઈ અને શુદ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે. એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું, ૧. “હે શુદ્ધાત્મા ભગવાન ! તમે જુદા છો ને ચંદુભાઈ જુદા ૨. “હે શુદ્ધાત્મા ભગવાન ! તમે રીયલ છો અને ચંદભાઈ રિલેટિવ છે.” ૩. “હે શુદ્ધાત્મા ભગવાન ! તમે પરમનન્ટ છો અને ચંદભાઈ ટેમ્પરરી છે.” આટલું અડતાલીસ મિનિટ બોલ્યા કરવું. ‘હું અને ‘ચંદુભાઈ’ બે જુદા જ છીએ એવું મને જુદા રહેવાની શક્તિ આપો. મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો અને ચંદુભાઈ જુદા રહે. હે દાદા ભગવાન ! તમારી કૃપા વરસો. “ચંદુભાઈ શું કરે છે ?” એને હું જોઉ અને જાણે એ જ મારું કામ. એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય તે સામાયિકમાં શુદ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે પાંચ-પચીસ વાર આ ત્રણ વાક્યો બોલી નાખશો, તો તરત મહીં બધું છૂટું પડી જશે ને ક્લિયર (ચોખ્ખ) થઈ જશે બધું. આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ?” “જરા તમને ઠપકો આપવા જેવો છે” એમેય કહીએ. તમે કોઈ દહાડો અરીસામાં જોઈને ચંદુભાઈને ઠપકો આપો છો ? આપણે અરીસામાં ચંદુભાઈને સામાં બેસાડીને કહીએ કે, ‘તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શાને માટે કરો છો ?” આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે ? એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય ? દાદા મારી જોડે પાડોશમાં છે તેમને નથી કહેતા ને મને શું કરવા કહે છે ? માટે આપણે જાતે જ ઠપકો આપીએ. પારકાની ભૂલો કાઢતાં બધીય આવડે અને પોતાની એકુય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી, તમારે તો ચંદુભાઈને વઢવાનું જ છે જરા. તમે તો ‘ચંદુભાઈની ભૂલો જાણી ગયા છો. એટલે હવે ‘તમારે’ ચંદુભાઈને ઠપકો આપવાનો છે, પાછાં ચંદુભાઈ “માની’ છે, બધી રીતે “માનવાળા છે. એટલે એને જરા પટાવીએ તો બધું કામ થાય. હવે આ વઢવાનો અભ્યાસ આપણે ક્યારે કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ પણ એ સાચું વઢનારા ના હોય ! સાચું વઢનારા હોય તો જ પરિણામ આવે. નહીં તો જૂઠું-બનાવટી વઢનારું હોય તો પરિણામ ના આવે. આપણને વઢનારું હોય તો આપણે એનો લાભ લેવો જોઈએ. આ તો આવું ગોઠવતાં આવડતું નથીને ? પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં. દાદાશ્રી : એ નથી ગમતા, પણ રોજના વઢનારા લાગુ થયા હોય પછી તો આપણને નિકાલ કરતાં આવડેને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ? એના કરતાં આપણે આપણી ‘ગુફામાં પેસી જાવને ! અરીસા સામાયિક અરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામાં ઊભા છે એ ચંદુભાઈ છે. આપણે એમને કહ્યું કે, ‘ચંદુભાઈ,

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307