Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 287
________________ સામાયિકની પરિભાષા ૫૧૫ પ૧૬ પ્રતિક્રમણ એનું નામ સામાયિક, એ સામાયિક મનુષ્યથી પૂરેપૂરું સરસ થઈ શકે નહીં. એને માટે જ્ઞાનીપુરુષ પાપ ધોઈ આપે અને પાપ ના ધોવાય ત્યાં સુધી કશું વળે નહીં. અમે ફરી ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે તમને શું કહીએ છીએ કે ફરી બેસજો. આ સામાયિક ફરી ફરી નહીં થાય. માટે નવરા પડ્યા હોય તો બેસજો. ના નવરા પડ્યા હોય તો ધંધો (બંધ) કરીને પણ અહીં આવજો. દે, નહીં ? અને તે ઘડીએ આનંદય એવો હોય. એવું સામાયિક થાય ને પુણિયા શ્રાવકનું, તો આનંદેય તેવો હોય. તે ઘડીએ ભલે સ્પંદન થતાં હોય, સ્પંદન દેહનાં બધાં ચાલુ રહે. પણ સામાયિકમાં આનંદ આવેને, એ આ અંદન નથી થતાં એટલે આવે છે. કાયોત્સર્ગ સહિત ભગવાને સામાયિક કેવું કહેલું કે આ દેહ ને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું હતું. સામાયિક તો કાયોત્સર્ગપૂર્વક હોય. આપણું આ જ્ઞાન લીધેલું હોય તે સામાયિક કાયોત્સર્ગપૂર્વક કરે. કાયઉત્સર્ગપૂર્વક ! એ બહુ જ કિંમતી. હવે એ કાયોત્સર્ગ કેવી રીતે કરતા ? આ જે મોટા મોટા માણસો, ગણધરો બધા કાયોત્સર્ગ કરતાં. તે આમ ઊભા રહે, થાંભલા જેવું, પછી પહેલું નક્કી કરે, હું પગ નહીં, પેટ નહીં, છાતી નહીં, માથું નહીં, ફલાણું નહીં, તે ઉત્સર્ગ કરે અને પછી મહીં નક્કી કરે કે હું શુદ્ધાત્મા છું. કેવો ? ત્યારે કહે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એવા પાંચ-છ ગુણધર્મ જાણતો હોય. શાસ્ત્રના શબ્દના આધારે તે શબ્દો વાગોળ વાગોળ કર્યા કરે. પહેલું ઉત્સર્ગ કરી નાખે. કાયોત્સર્ગ એને ભગવાને છેલ્લામાં છેલ્લો ઉપચાર કહ્યો. આ મન-વચન-કાયા હું નહીં, હું શુદ્ધાત્મા છું, એવું એ ધ્યાનમાં રહેવું એનું નામ કાઉસગ્ગ. હવે એ કાઉસગ્ગ લોકો સમજતા નથી. કાયઉત્સર્ગ આપણે આ બોલાવ્યુંને, હમણે આ જ્ઞાનવિધિ બોલતા'તા ને, તે ઘડીએ કાયોત્સર્ગ જ હતું. ‘મન-વચન-કાયાથી ભિન્ન હું પ્રગટ શુદ્ધાત્મા છું’, એવું બોલાવ્યું એ બધું કાયોત્સર્ગ જ હતું. જ્ઞાતવિધિ એ આત્માનું સામાયિક સામાયિક એટલે મેં તમને જે આ જ્ઞાનવિધિ કરાવીને એક કલાક, એ સામાયિક કહેવાય. અધ્યાત્મ સંબંધમાં એક જ ધ્યાનમાં રહેવું અક્રમમાં નિરંતર સામાયિક પ્રશ્નકર્તા : આપણા અક્રમ માર્ગમાં સામાયિકની મહત્તા શું ? દાદાશ્રી : આપણને આખો દહાડો સામાયિક જ હોય છે, સામાયિકથી વધારે હોય છે. ‘હું શુદ્ધાત્મા છું' એનું લક્ષ, એનું નામ સામાયિક, તે પાછું સાચું સામાયિક. આ સામાયિક આખો દિવસ રહે. ‘હું શુદ્ધાત્મા છું' જેને એક કલાક રહ્યું એ જ સામાયિક. સમભાવે નિકાલ કરવું એ સામાયિક, રિલેટિવ અને રીયલ જોયું એય સામાયિક, આપણાં પાંચ વાક્યો (આજ્ઞા) એ સામાયિક સ્વરૂપ જ છે ! પ્રશ્નકર્તા ઃ ક્રમિક માર્ગમાં તો પુણિયા શ્રાવકનું સામાયિક ઊંચામાં ઊંચું ? દાદાશ્રી : હા, એ તો આ તમારું જ સામાયિક ! આ તમે સવારમાં નીકળો અને આ આંખે ગાય દેખાય અને પેલી અંદરની આંખે શુદ્ધાત્મા દેખાય, એ જ સામાયિક પુણિયા શ્રાવકનું હતું. તેથી હું તમને કહું છું ને, પુણિયા શ્રાવકનું સામાયિક તમને આપ્યું છે, પ્યોર સામાયિક. હવે તમને ભોગવતાં આવડ્યું તો ભોગવો. તે એવું સામાયિક આ કાળમાં થાય એવું છે. લાભ ના થાય તો ભૂલ છેને ! એક કલાક રિલેટિવ ને રીયલ બેનું જોતાં જોતાં જોતાં એનો ઉપયોગ રાખે બરાબર, એને ભગવાને શુદ્ધ ઉપયોગ કહ્યો. એ શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307