________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. આ જ્ઞાન એવું છેલ્લા પ્રકારનું જ્ઞાન છે કે પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો જેને ગુજરાતી ચાર ચોપડીઓ આવડે, તેને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ, ત્યાર પછી વચલા સ્ટાન્ડર્ડનું બધું શું થાય તે ? એટલે આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું વચ્ચે. નહીં તો આ જ્ઞાનમાં હોય નહીં છતાં અમારી જવાબદારીથી મૂકેલું.
૪૯૩
શુદ્ધાત્મા સિવાયનો બધો જ કચરો, એમાંથી એક ક્રમણ અને બીજું અતિક્રમણ. શુદ્ધાત્માની બહારનું જે જે છે તે બધા જ દોષ છે ને તેનું પ્રતિક્રમણ કરવું પડે.
અક્રમ વિજ્ઞાતતી બલિહારી તો જુઓ !!!
પ્રશ્નકર્તા : આપના સ્વમુખે આ ખુલાસો સાંભળ્યો એટલે અમને સંતોષ થયો.
દાદાશ્રી : એટલે આમાં તમે છૂટ્ટા જ છો.
પ્રતિક્રમણ જોડે ને જોડે થાય છે, ત્યાં આગળ પછી હવે કોણ નામ દેનાર છે, બોલો ?
પ્રશ્નકર્તા : અમારે પ્રતિક્રમણ આ દેહથી ક્ષણે ક્ષણે રાત-દા'ડો ચાલુ જ રહે છે. એનાથી હજુ પ્રતિક્રમણની શરૂઆત થાય ત્યાર પહેલાં તો પેલું અતિક્રમણ અદૃશ્ય થઈ ગયું હોય.
દાદાશ્રી : આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન તરત જ કામ કરનારું છે. આ અક્રમ વિજ્ઞાન આખો સિદ્ધાંત જ છે અને સિદ્ધાંત જ ફળ આપશે. જેમ ડુંગળીની એક ‘સ્લાઈસ’ (પડ) કાપો, તે ડુંગળીના બધા જ ગુણ દેખાડે, એવું આમાંથી એક સ્લાઈસ’ જ કાપો તો સિદ્ધાંતનું જ ફળ આપશે અને અજ્ઞાનની એક સ્લાઈસ’ કાપો તો એ અજ્ઞાનનું ફળ આપશે. એક ‘સ્લાઈસ’ ખાલી, એના ગુણ દેખાડે કે ના દેખાડે ?
પ્રતિક્રમણ
આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ ‘વિજ્ઞાન’ અને કરવાપણું હોય એનું નામ
‘જ્ઞાન'.
૪૯૪
વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ આપણે કશુંય નથી કર્યું અને શું છે આ ! એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે ! ‘અક્રમ’, ક્રમ-શ્રમ નહીં !
܀ ܀
܀ ܀