Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 277
________________ ૪૯૬ પ્રતિક્રમણ ખંડ-૨ સામાયિકતી પરિભાષા પેટમાં ભૂખ લાગી હોય તોય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને શુદ્ધ જોવો, એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠા, એટલે શુદ્ધ જોવું અને કહેવું, ‘ચંદુભાઈ, માફી માગી લો !' પ્રશ્નકર્તા : દાદા, એ સામાયિક યથાર્થ રીતે કેવી રીતે કરાય ? દાદાશ્રી : અહીં આ બધા છે તે એવી જ ‘સામાયિક' કરે છે. તે પછી સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે આ સામાયિકથી અહીં ઓગાળી શકાય. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ વિષય “સામાયિક'માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય. આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિક એટલે શું ? પ્રશ્નકર્તા : સામાયિક એટલે શું ? દાદાશ્રી : બે જાતના સામાયિક. એક વ્યવહારમાં પ્રચલિત સામાયિક, કે જેમાં મનને કુંડાળાની બહાર નીકળવા ના દે. મનને બાઉન્ડ્રી (સીમા)માં રાખે. બહાર જે ચાલે છે એમાં મન સ્થિર રહ્યું એ (વ્યવહાર) સામાયિક કહેવાય. અને બીજા પ્રકારનું સામાયિક તે ભગવાન મહાવીરે કહેલું યથાર્થ સામાયિક, જે આપણે અક્રમમાં બધા કરીએ છીએને ! (એક ગુંઠાણું એટલે કે અડતાળીસ મિનિટ સુધી પોતે આત્મસ્વરૂપમાં રહીને પોતાની ફાઈલ નં.૧ને જુએ છે.) પ્રશ્નકર્તા : આપણું અક્રમનું સામાયિક સમજાવો ને ! દાદાશ્રી : આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈ (ફાઈલ નં.૧)નું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું, ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા, આપણે જોનાર. વિચાર એ દૃશ્ય, આપણે દ્રશ્ય અને જે સમજણ પડે એવા વિચાર હોય એ શેય કહેવાય ને આપણે શાતા. - પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખે છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં, એ બધું “આપણે” જાણવું. સામાયિક-પ્રતિક્રમણતી વ્યાખ્યા પ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેકશન (સાંધો) છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવું. સામાયિક એટલે ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક, અને સહજદશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમનેય થોડું-ઘણું રહે. આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307