Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 275
________________ ૪૯૨ પ્રતિક્રમણ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૯૧ પ્રશ્નકર્તા : આમાં શક્તિ તો સામાના શુદ્ધાત્મા પાસે જ માંગીએ છીએ ને ? દાદાશ્રી : એ વ્યવહાર છે ખાલી. એમાં વ્યવહાર-નિશ્ચય ના હોય. એ વિવેકની ખાતર, વિનયની ખાતર છે. શક્તિઓ માંગવાની છે કે ‘તમે આ શુદ્ધાત્મા થઈ ગયા, પણ મારો મોક્ષ નહીં થાય.’ ‘કેમ ભઈ, આવો શો વાંધો છે ? હું શુદ્ધ થઈ ગયો. મારું સ્વરૂપ જાણી લીધું.’ ત્યારે પુદ્ગલ કહે છે, ‘તમે મોક્ષે નહીં જાવ. જ્યાં સુધી અમે તમને છોડીએ નહીં ત્યાં સુધી તો તમે શી રીતે જશો ?” ત્યારે કહે, ‘ભઈ, તમને શું વાંધો છે ?” ત્યારે પુદ્ગલ કહે, “અમે તો અમારા સ્વભાવમાં હતા. તમે જ અમને બગાડ્યા. તમે ચોખ્ખા થયા, હવે અમને ચોખ્ખા કરીને જાવ. માટે તમે અમને અમે હતા એવા કરી આપો એટલે અમે છૂટા.” એટલે શુદ્ધ જોવું. જગત અશુદ્ધ જુએ છે. કારણ કે ‘હું કર્તા છું' એ ભાવે કરે છે. અને ‘આનો કર્તા હું નથી' એ ભાવ હવે થયો એટલે એ છૂટા થયા. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું થાય ? એની ઈફેક્ટ શું થાય ? પરમાણુ શુદ્ધ ના થાય એ તમે જ કહ્યું, તો પછી પ્રતિક્રમણથી થાય પ્રશ્નકર્તા : ઇચ્છાઓ બધી થઈ રહી છે, એ બધું ચારિત્રમોહ જ છે ને ? પણ બાકી રહી જાય છે અને જેનું પ્રતિક્રમણ બરોબર ના થયું હોય તો પછી શું ? દાદાશ્રી : હું તો કહું છું, કે જોયા જ કરતો હોય તેને પ્રતિક્રમણેય કરવાની જરૂર નથી. કશુંય કરવાની જરૂર નથી. પરમાણુઓની શુદ્ધિ, જ્ઞાતા-દ્રષ્ટાપદથી પ્રશ્નકર્તા: દાદા, આપણે આ શરીરના એક-એક પરમાણુ શુદ્ધ કરવા માટે, અને જે થાય તેને જોયા રાખીએ, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે તો શુદ્ધ થાય કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાથી શુદ્ધ થાય. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય, દાદા ? દાદાશ્રી : પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ થયેલો હોય અને સામાને દુઃખ થાય એવો દોષ થયેલો હોય તો “આપણે” એમને કહેવું પડે કે, ‘ભાઈ, આવું ના કરો.” અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ ના કર્યું હોય, કોઈને દુઃખ થાય એવું, તો કશી જરૂર નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય, દાદા ? દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો આ છૂટવા માટે. પરમાણુ શુદ્ધ ના થાય એનાથી. આ ફરી એ ને એ થઈ જાય. આપણે આત્મા જોવાના. આપણે જોતાની સાથે જ છૂટા થયા. કારણ કે પુદ્ગલ તો ક્લેઈમ કરે દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે એ ‘જોઈએ’ ત્યારે જ. આ પ્રતિક્રમણથી ઈફેક્ટમાં શું થાય, કે પેલાને જે દુ:ખ થયેલું છે તેની અસર રહી જાય, તે પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એ અસર આપણે બનતાં સુધી ન કરવી જોઈએ. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શુદ્ધ થાય, એવું કહેવાય ? દાદાશ્રી : બાધભારે કહેવાય. અક્રમમાં પ્રતિક્રમણ જવાબદારીપૂર્વક પ્રશ્નકર્તા : એક અવતાર જોયા કરવાનું તે પ્રતિક્રમણ કરતાં કરતાં જોયા કરવાનું ને ? દાદાશ્રી : નિરંતર ખ્યાલ રહેવો જોઈએ કે હું કંઈ જ કરતો નથી. નિરંતર ખ્યાલ રહેતો હોય તો પ્રતિક્રમણ ના કરીએ તોય ચાલે. અમને નિરંતર રહે. જે અમને રહે છે તે જ તમને કહીએ છીએ. અમને કાયમ રહે છે, જ્ઞાન થયા પછી.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307