Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 251
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૪૩ પ્રતિક્રમણ સ્વપ્ત હંમેશાં ગલત પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં સ્વપ્નાં આવે તો અસર રહે છે. દાદાશ્રી : તે તો એમાં પ્રતિક્રમણ થાય ને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો થાય. દાદાશ્રી : તે તો ઊલટું સારું. પ્રતિક્રમણ થાય એટલે ફાયદાકારક. એનો વાંધો નહીં. અને પ્રતિક્રમણ તો કરવો જ જોઈએ. પેલું ‘લેટ ગો’ થાય તો એમાં એમનું કાચું રહી ગયું. અને આ તો પ્રતિક્રમણ કરીને એનું મૂળિયું કાઢી નાખે, એ તો સારું. અને ત્યાં તો પાછળથી કહી દોને, કે આ ખોટું થયું. ‘ખોટું થયું' એવું હોય તેના માટે સારું. સ્વપ્ન એટલે શું ? ગલન ! પૂરણ નહીં. બિલકુલેય પૂરણ નહીં, એનું નામ સ્વપ્ન. અને જાગૃત સ્થિતિમાં અહંકાર હોવાથી ગલન અને પૂરણ બન્ને થાય. બાકી સ્વપ્ન એ ગલન એકલું જ છે. ‘ડિસ્ચાર્જ એટલે ગલન. અને ‘ડિસ્ચાર્જની ચિંતા કોઈએ કરવી નહીં. હા, ‘ડિસ્ચાર્જ ન થાય એની કાળજી રાખવી, પણ ‘ડિસ્ચાર્જ થઈ જાય એની ચિંતા કરવી નહીં. બની ગયું એની ચિંતા છોડી દો. ભવિષ્યમાં ન બને એની કાળજી રાખવી. અતુપયાકિ વ્યવહારમાં કર્મબંધ ક્યાં ? પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે. એ વાત બરાબર છે પણ એમાં ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ? દાદાશ્રી : ‘ચાર્જ થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ ‘ચાર્જ’ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ચાજિંગવાળું' માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી. પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ? દાદાશ્રી : ના, બેફામ રહે તો માર પડશે. બેફામ થાયને, નિફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ? પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક ‘એક્શન' કયું લેવું જોઈએ ? દાદાશ્રી : બીજું શું ‘એક્શનમાં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ “એક્શન’ છે. મહાત્માઓતે કર્મ ચાર્જ ક્યાં થાય ? પ્રશ્નકર્તા : ખાસ મુદો જ આ સમજવો હતો કે મહાત્માઓને ચાર્જ થાય કે નહીં ? દાદાશ્રી : તમને ‘ચાર્જ' ના થાય, પણ પ્રતિક્રમણ કરવું સારું. પ્રતિક્રમણ કરવાથી અમારી આજ્ઞા પાળી કહેવાય. અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. “આપણે” તો અતિક્રમણ કરતા નથી. આપણને પસંદેય નથી. ઇચ્છા જ નહીં ને ? પ્રશ્નકર્તા : ના, બિલકુલ ઇચ્છા જ ના હોય. મહાત્માઓના દરેક કર્મ ‘ડિસ્ચાર્જ હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ? દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ’ છે એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, પણ અતિક્રમણ થયું હોય તો જ પ્રતિક્રમણ કરીએ. ખાય-પીએ એનું કંઈ પ્રતિક્રમણ કરવાનું નહીં. હું તમને એમ કંઈ પૂછ પૂછ કરું છું કે ‘તમે કેરીઓ ખાધી કે ના ખાધી ? તેં ભજિયાં કેમ ખાધાં હતા ? તું હોટેલમાં કેમ ગયો હતો ?” એવું હું પૂછું છું કંઈ ? આમ તેમ કંઈ પૂછ્યું મેં ? ના. કારણ કે એ હું જાણું છું કે એ બધું ‘ડિસ્ચાર્જ' છે !

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307