Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 253
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૪૭ ૪૪૮ પ્રતિક્રમણ દાદાશ્રી : ચંદુભાઈ કર્તા હોય તો “ચાર્જ થાય. એટલે એ વાક્ય ઊડી ગયું? તને સમજ પડીને ? એ વાક્યનો ખુલાસો થયોને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ના કરીએ ? દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય. જ્ઞાત પછી ક્રેડીટ-ડેબીટ તીલ પ્રશ્નકર્તા : ખરાબ “ચાર્જિગ’ થાય, તેમ સારુંય “ચાર્જિગ’ થાયને? દાદાશ્રી : ના થાય. ખરાબેય ચાર્જ થતું નથી. આ ‘ડિસ્ચાર્જમાં અતિક્રમણ થયેલાં તેનું આપણે પ્રતિક્રમણ કરીએ. અતિક્રમણ થયેલાં એ સામાને નુકસાન કરે એવાં હોય છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું તે ‘ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ આવે છે એનું કરવાનું છે ? દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ'નું પ્રતિક્રમણ કરવાનું. ‘ચાર્જ તો થતું જ નથી, ત્યાં પછી રહ્યું જ શું? એટલે ‘ક્રેડીટ’–‘ડેબીટ’ આપણને હવે થતું જ નથી. ‘કેડીટ’ થાય તો દેવગતિ થાય, ડેબીટ’ થાય તો જાનવરમાં જાય એવું તેવું નથી થતું. પણ આ જે “ક્રેડીટ’-ડબીટ’, ‘ડિસ્ચાર્જ છે, તેની વાત કરીએ છીએ આપણે. એ અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરી બીજા શું કહે છે કે ભઈ, આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો, એ વખતે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. દાદાશ્રી : ‘કશું કરવાની જરૂર છે નહીં’ એમ કહે છે તો એને કહીએ, ‘તમે કેમ જમો છો ? કશું કરવાનું નહીં, કહો છો તો ?” જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું બંધ કરે છે કે નહીં ? પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ છે. દાદાશ્રી : કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશો કર્તાભાવ ના કરે. કરવાથી તો ભમરડા થઈ જાય. પ્રતિક્રમણેય ડિસ્ચાર્જ પ્રશ્નકર્તા : આપણને કંઈ અસર જ ના થતી હોય, રાગ-દ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી ? દાદાશ્રી : તને રાગ-દ્વેષ થતા નથી, તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુભાઈને થતા હોય તો ચંદુભાઈને કરવાની જરૂર ખરી ને ! પ્રશ્નકર્તા : ઘણી બધી વાર ‘હું ચંદુભાઈ છું ' એવી જ રીતની વર્તના થયા કરે. ઘણા લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણીવાર ખ્યાલમાંય ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : જેટલું ખ્યાલમાં રહે એટલાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : શું કામ કરવાં પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે ? એ તો ચંદુભાઈને કરવાનાં છે. પ્રશ્નકર્તા : ચંદુભાઈને શું કામ કરવાં પડે ? દાદાશ્રી : કેમ ? સમજો “વાતું નથી' એને પ્રશ્નકર્તા : અમુક વ્યક્તિઓ એવું કહે છે કે શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો જ નથી. માટે આપણને કશું નડતું જ નથી. કશું કરવાની જરૂર છે જ નહીં. પ્રતિક્રમણ કરવાની જરૂર છે જ નહીં. દાદાશ્રી : એવું ખોટું બધું. પ્રશ્નકર્તા : એટલે હવે એ એક યૂ પોઈન્ટ (દષ્ટિબિંદુ) થયો.

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307