________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૪૭
૪૪૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : ચંદુભાઈ કર્તા હોય તો “ચાર્જ થાય. એટલે એ વાક્ય ઊડી ગયું? તને સમજ પડીને ? એ વાક્યનો ખુલાસો થયોને ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ના કરીએ ? દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય.
જ્ઞાત પછી ક્રેડીટ-ડેબીટ તીલ પ્રશ્નકર્તા : ખરાબ “ચાર્જિગ’ થાય, તેમ સારુંય “ચાર્જિગ’ થાયને?
દાદાશ્રી : ના થાય. ખરાબેય ચાર્જ થતું નથી. આ ‘ડિસ્ચાર્જમાં અતિક્રમણ થયેલાં તેનું આપણે પ્રતિક્રમણ કરીએ. અતિક્રમણ થયેલાં એ સામાને નુકસાન કરે એવાં હોય છે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું તે ‘ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ આવે છે એનું કરવાનું છે ?
દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ'નું પ્રતિક્રમણ કરવાનું. ‘ચાર્જ તો થતું જ નથી, ત્યાં પછી રહ્યું જ શું? એટલે ‘ક્રેડીટ’–‘ડેબીટ’ આપણને હવે થતું જ નથી.
‘કેડીટ’ થાય તો દેવગતિ થાય, ડેબીટ’ થાય તો જાનવરમાં જાય એવું તેવું નથી થતું. પણ આ જે “ક્રેડીટ’-ડબીટ’, ‘ડિસ્ચાર્જ છે, તેની વાત કરીએ છીએ આપણે. એ અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરી
બીજા શું કહે છે કે ભઈ, આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો, એ વખતે પ્રતિક્રમણ કરવાની જરૂર છે.
દાદાશ્રી : ‘કશું કરવાની જરૂર છે નહીં’ એમ કહે છે તો એને કહીએ, ‘તમે કેમ જમો છો ? કશું કરવાનું નહીં, કહો છો તો ?” જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું બંધ કરે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ છે.
દાદાશ્રી : કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશો કર્તાભાવ ના કરે. કરવાથી તો ભમરડા થઈ જાય.
પ્રતિક્રમણેય ડિસ્ચાર્જ પ્રશ્નકર્તા : આપણને કંઈ અસર જ ના થતી હોય, રાગ-દ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી ?
દાદાશ્રી : તને રાગ-દ્વેષ થતા નથી, તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુભાઈને થતા હોય તો ચંદુભાઈને કરવાની જરૂર ખરી ને !
પ્રશ્નકર્તા : ઘણી બધી વાર ‘હું ચંદુભાઈ છું ' એવી જ રીતની વર્તના થયા કરે. ઘણા લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણીવાર ખ્યાલમાંય ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : જેટલું ખ્યાલમાં રહે એટલાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : શું કામ કરવાં પડે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે ? એ તો ચંદુભાઈને કરવાનાં છે.
પ્રશ્નકર્તા : ચંદુભાઈને શું કામ કરવાં પડે ? દાદાશ્રી : કેમ ?
સમજો “વાતું નથી' એને પ્રશ્નકર્તા : અમુક વ્યક્તિઓ એવું કહે છે કે શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો જ નથી. માટે આપણને કશું નડતું જ નથી. કશું કરવાની જરૂર છે જ નહીં. પ્રતિક્રમણ કરવાની જરૂર છે જ નહીં.
દાદાશ્રી : એવું ખોટું બધું. પ્રશ્નકર્તા : એટલે હવે એ એક યૂ પોઈન્ટ (દષ્ટિબિંદુ) થયો.