Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 260
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૬૧ પ્રતિક્રમણ કરવાતું કહે કોણ ? પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે બોલીએ છીએ કે, ‘મન-વચનકાયાથી તદન ભિન્ન એવા શુદ્ધાત્મા !' એવું નથી બોલતા ? તો પછી કેમ પુદ્ગલનું કહેવાય ? દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા પાસે માફી માગું કે મારાથી આ ભૂલ થઈ, એની માફી માગું છું. પ્રશ્નકર્તા : પણ માફી શુદ્ધાત્મા પાસે માગવાની ? અને પ્રતિક્રમણ પુદ્ગલનું કરવાનું ? દાદાશ્રી : નહીં, પ્રતિક્રમણ ને માફી એક જ વસ્તુ છે. એના શુદ્ધાત્મા પાસે માફી માગવાની કે આ તમારા પ્રતિષ્ઠિત આત્મા જોડે મારે જે ભૂલ થઈ છે, તેની માફી માગું છું. પ્રશ્નકર્તા : જે માણસે જ્ઞાન ના લીધું હોય, તોય એવી જ રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : (એનાથી) ના થાય. એ ચાલે નહીં ને ! જ્ઞાન લીધું ના હોય તેણે તો એમ ને એમ માફી માંગી લેવી જોઈએ. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધું હોય ને સામાએ જ્ઞાન ના લીધું હોય તો ? દાદાશ્રી : સામાએ જ્ઞાન ના લીધું હોય તેનો વાંધો નહીં. આપણે પ્રતિક્રમણ કરી શકીએ. પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે ? દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : આપણે આપણું પ્રતિક્રમણ કરીએ, ત્યારે ખરેખર પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને ? પ્રતિક્રમણ દાદાશ્રી : એ એના શુદ્ધાત્માને કરે છે. એ આપણા શુદ્ધાત્માના એટલે આ પ્રશાશક્તિ. આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન કામ કરે છે. ૪૬૨ પ્રશ્નકર્તા : અતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે ? દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?' જુદો દોષ તે દોષતો જાણકાર પ્રશ્નકર્તા : દોષને જાણીએ તો દોષ કહેવાય કેમ ? દાદાશ્રી : તમે જાણકાર છો તો જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. ક્રમણનો વાંધો નથી પણ ચંદુભાઈ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને તમારો દોષ છે, એમ કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી. પ્રશ્નકર્તા : શાયક હોય પછી અશુભનોય શું વાંધો ? દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ. આ ખોખું છે એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખુંય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને ! ક્રમિક માર્ગમાં તો બધું શુભ જ હોય. તેથી તેમને પ્રતિક્રમણ હોય નહીં. ત્યાં તો પ્રતિક્રમણને દોષ ગણ્યો છે. ત્યાં તો ક્રમણ, શુભ એકલું જ હોય. તો પ્રતિક્રમણ તહી પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરવાનું ?

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307