________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૬૧
પ્રતિક્રમણ કરવાતું કહે કોણ ?
પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે બોલીએ છીએ કે, ‘મન-વચનકાયાથી તદન ભિન્ન એવા શુદ્ધાત્મા !' એવું નથી બોલતા ? તો પછી કેમ પુદ્ગલનું કહેવાય ?
દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા પાસે માફી માગું કે મારાથી આ ભૂલ થઈ, એની માફી માગું છું.
પ્રશ્નકર્તા : પણ માફી શુદ્ધાત્મા પાસે માગવાની ? અને પ્રતિક્રમણ પુદ્ગલનું કરવાનું ?
દાદાશ્રી : નહીં, પ્રતિક્રમણ ને માફી એક જ વસ્તુ છે. એના શુદ્ધાત્મા પાસે માફી માગવાની કે આ તમારા પ્રતિષ્ઠિત આત્મા જોડે મારે જે ભૂલ થઈ છે, તેની માફી માગું છું.
પ્રશ્નકર્તા : જે માણસે જ્ઞાન ના લીધું હોય, તોય એવી જ રીતે પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : (એનાથી) ના થાય. એ ચાલે નહીં ને ! જ્ઞાન લીધું ના હોય તેણે તો એમ ને એમ માફી માંગી લેવી જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધું હોય ને સામાએ જ્ઞાન ના લીધું હોય તો ?
દાદાશ્રી : સામાએ જ્ઞાન ના લીધું હોય તેનો વાંધો નહીં. આપણે પ્રતિક્રમણ કરી શકીએ.
પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે ? દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : આપણે આપણું પ્રતિક્રમણ કરીએ, ત્યારે ખરેખર પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : એ એના શુદ્ધાત્માને કરે છે. એ આપણા શુદ્ધાત્માના એટલે આ પ્રશાશક્તિ. આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન
કામ કરે છે.
૪૬૨
પ્રશ્નકર્તા : અતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે ?
દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?'
જુદો દોષ તે દોષતો જાણકાર
પ્રશ્નકર્તા : દોષને જાણીએ તો દોષ કહેવાય કેમ ?
દાદાશ્રી : તમે જાણકાર છો તો જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. ક્રમણનો વાંધો નથી પણ ચંદુભાઈ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને તમારો દોષ છે, એમ કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : શાયક હોય પછી અશુભનોય શું વાંધો ? દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ.
આ ખોખું છે એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખુંય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને ! ક્રમિક માર્ગમાં તો બધું શુભ જ હોય. તેથી તેમને પ્રતિક્રમણ હોય નહીં. ત્યાં તો પ્રતિક્રમણને દોષ ગણ્યો છે. ત્યાં તો ક્રમણ, શુભ એકલું જ હોય.
તો પ્રતિક્રમણ તહી
પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ
કરવાનું ?