________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૬૩
४६४
પ્રતિક્રમણ
દાદાશ્રી : હા, એ વિચાર તરત એને પહોંચે ને એનું મન બગડે. પ્રતિક્રમણ કરો તો એનું બગડેલું હોય તોય સુધરે. કોઈનું કશું ખરાબ વિચારાય નહીં.
પ્રશ્નકર્તા : કોઈના માટે ખરાબ વિચાર આવ્યો એ વિચારને તો હું જોઉં છું. - દાદાશ્રી : જોનાર હોય તો વાંધો નહીં. પણ જોવાનું રહી ગયું તો પ્રતિક્રમણ કરવું. જોયું તો એની મેળે ઊડી જાય. એને જ્ઞાનથી ‘કરેક્ટ’ જોઈ શકતા હોય તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : છૂટા રહીને જોઈ શકતા હોય તો આવા વિચાર જ ના આવે.
દાદાશ્રી : આવે, તદન છૂટા રહે તોય આવે. એ તો ભરેલો માલ છે ને ! “ઇફેક્ટ’ આવ્યા વગર રહે નહીં.
જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં દોષ ઊડ્યો પ્રશ્નકર્તા : પોતાના જ દોષ થયા હોય તો ?
દાદાશ્રી : એ તો જોવા. પારકાના દોષ દેખાય એટલે પ્રતિક્રમણ કરીને ઉડાડી મેલવા.
પ્રશ્નકર્તા : આપણે દોષના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, એટલે ધોવાઈ જાયને કે પછી પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : પછી દોષ જ રહ્યો નહીં ને ! આ તો ખબર પડતી નથી તે ઘડીએ પોતે આવો ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહ્યો નથી.
જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કરવાનું નહીં કશું જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. તે પ્રતિક્રમણ હવે ‘તમારે કરવાનું નથી. ‘જ્ઞાતા-દ્રષ્ટા’ છે તે ‘કરે” નહીં અને ‘કરે એ જ્ઞાતા-દ્રષ્ટા’ નહીં. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ
કરવાનું. જેણે અતિક્રમણ કર્યું, તેને જ “આપણે” કહીએ ‘તમે પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય.
અહંકાર, અતિક્રમણ તે પ્રતિક્રમણમાં પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે. પ્રશ્નકર્તા : પણ અતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે.
પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું?
દાદાશ્રી : હા, પ્રતિક્રમણેય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, “અતિક્રમણ કેમ કર્યું ?” પ્રજ્ઞા શું ચેતવે ? “અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.'
પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા ‘રિલેટિવ'માંથી આવે છે કે “રીયલમાંથી?
દાદાશ્રી : એ “રીયલમાંથી આવે છે. એટલે એ “રીયલ'માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ છે. રીયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અન્ના હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં. જે ટાઈમે અહીંથી દેહ છૂટ્યો ને મોક્ષની તૈયારી થઈ, એ ટાઈમે પ્રજ્ઞા આત્મામાં સમાવેશ થઈ જાય, એ કંઈ જુદી શક્તિ નથી.
પ્રશ્નકર્તા : એટલે અહંકાર ‘રિલેટિવ’માં જ આવે ને ? દાદાશ્રી : એ બધું રિલેટિવમાં જ જાય.