Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 261
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૬૩ ४६४ પ્રતિક્રમણ દાદાશ્રી : હા, એ વિચાર તરત એને પહોંચે ને એનું મન બગડે. પ્રતિક્રમણ કરો તો એનું બગડેલું હોય તોય સુધરે. કોઈનું કશું ખરાબ વિચારાય નહીં. પ્રશ્નકર્તા : કોઈના માટે ખરાબ વિચાર આવ્યો એ વિચારને તો હું જોઉં છું. - દાદાશ્રી : જોનાર હોય તો વાંધો નહીં. પણ જોવાનું રહી ગયું તો પ્રતિક્રમણ કરવું. જોયું તો એની મેળે ઊડી જાય. એને જ્ઞાનથી ‘કરેક્ટ’ જોઈ શકતા હોય તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : છૂટા રહીને જોઈ શકતા હોય તો આવા વિચાર જ ના આવે. દાદાશ્રી : આવે, તદન છૂટા રહે તોય આવે. એ તો ભરેલો માલ છે ને ! “ઇફેક્ટ’ આવ્યા વગર રહે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં દોષ ઊડ્યો પ્રશ્નકર્તા : પોતાના જ દોષ થયા હોય તો ? દાદાશ્રી : એ તો જોવા. પારકાના દોષ દેખાય એટલે પ્રતિક્રમણ કરીને ઉડાડી મેલવા. પ્રશ્નકર્તા : આપણે દોષના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, એટલે ધોવાઈ જાયને કે પછી પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પછી દોષ જ રહ્યો નહીં ને ! આ તો ખબર પડતી નથી તે ઘડીએ પોતે આવો ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહ્યો નથી. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કરવાનું નહીં કશું જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. તે પ્રતિક્રમણ હવે ‘તમારે કરવાનું નથી. ‘જ્ઞાતા-દ્રષ્ટા’ છે તે ‘કરે” નહીં અને ‘કરે એ જ્ઞાતા-દ્રષ્ટા’ નહીં. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યું, તેને જ “આપણે” કહીએ ‘તમે પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય. અહંકાર, અતિક્રમણ તે પ્રતિક્રમણમાં પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે. પ્રશ્નકર્તા : પણ અતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું? દાદાશ્રી : હા, પ્રતિક્રમણેય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, “અતિક્રમણ કેમ કર્યું ?” પ્રજ્ઞા શું ચેતવે ? “અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.' પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા ‘રિલેટિવ'માંથી આવે છે કે “રીયલમાંથી? દાદાશ્રી : એ “રીયલમાંથી આવે છે. એટલે એ “રીયલ'માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ છે. રીયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અન્ના હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં. જે ટાઈમે અહીંથી દેહ છૂટ્યો ને મોક્ષની તૈયારી થઈ, એ ટાઈમે પ્રજ્ઞા આત્મામાં સમાવેશ થઈ જાય, એ કંઈ જુદી શક્તિ નથી. પ્રશ્નકર્તા : એટલે અહંકાર ‘રિલેટિવ’માં જ આવે ને ? દાદાશ્રી : એ બધું રિલેટિવમાં જ જાય.

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307