Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 266
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૭૩ ૪૭૪ પ્રતિક્રમણ દાદાશ્રી : ના. પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, ‘ક્લિઅર” જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું ‘અન ક્લિઅર', બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીંને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને દેખાય છે પછી વાંધો શો છે ? પ્રશ્નકર્તા : ના, આ તો જાણવા પૂછ્યું. દાદાશ્રી : ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે. ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા. પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે. દાદાશ્રી : ના, તેનેય અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એનાં પ્રતિક્રમણ કરવાં પડે. એક અક્ષરેય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ? પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં. દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતું હોય એક બાજુ, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું, એમેય જાણતો હોય. પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની પુરુષની વાત થઈ. દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને ? પ્રશ્નકર્તા : એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય, એ બન્ને ભેગું થતું હોય છે. અને તે વખતે એનું પ્રતિક્રમણ થઈ જાય. અમારી ભૂલોસૂક્ષ્મતર તે સૂક્ષ્મતમ અમારી પ્રકૃતિ ભૂલ રહિત હોય. કોઈને ભૂલ જડે નહીં. કારણ કે ભૂલ રહિત હોય. અમને ભૂલ કઈ હોય ? અમારે સ્થૂળ ભૂલ ના હોય, સૂક્ષ્મ ભૂલ ના હોય. તમારી સ્થૂળ ભૂલી ગઈ હોય પણ સૂક્ષ્મ રહે અને મારે છે તે સ્થળ ને સૂક્ષ્મ બેઉ ના રહે. પછી સૂક્ષ્મતર અને સુક્ષ્મતમ જે જગતના કોઈ પણ જીવને નુકસાન ના કરે એવી ભૂલો અમને રહે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કે જીવમાત્રને નુકસાન ના કરે એવી ભૂલો અમારી પાસે હોય. જ્યાં પોતાના દોષ પોતાને દેખાય ત્યાં ઉપરી નથી. ઉપરી એટલે શું કે ક્યાં સુધી તમારે ફરજિયાત ઉપરી હોય જ, કે જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી, ત્યાં સુધી તમને ઉપરી હોય જ. તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. કુદરતનો કાયદો આ, નેચરલ લાઁ. મારે જે દોષ થયેલો મને દેખાતો હોયને, એ તો બહાર કહું તો જગત આફરીન થઈ જાય ! આને દોષ કહેવાય છે ? મારે કંઈ આવા દોષ નહીં આવવાના, આવા નહીં આવવાના, આ તો કચરો બધો. મારો જે દોષ દેખાય છેને તે જગત જો સાંભળીને તો આફરીન થઈ જાય, અને કહે કે આને દોષ ગણાય કેમ? એટલે તો એ ભગવાન કેવા? કેવું કેવલ્ય છે ! કેટલું ઐશ્વર્ય ધરાવે છે !! ફૂલ ઐશ્વર્ય !!! આખા વર્લ્ડમાં. તેથી કહીએ છીએને, જોડે બેસી રહેજો, સમજણ ન પડે તોય ! પ્રશ્નકર્તા : દાદા, એકાદ દાખલો આપોને, એ દોષ તમે કીધાને, જયાં એ આશ્ચર્ય પામીએ, એનો એકાદ દાખલો આપોને ? દાદાશ્રી : એ તો ખરો વખત આવે ત્યારે સામો દાખલો આપીશ ત્યારે મજા આવે. અમને એ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય ? આને દોષ ગણાય

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307