Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 268
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૭૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું શું ? કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ ! નિરંતર ‘એલર્ટનેસ' (જાગૃતિ)નો માર્ગ છે આ ! અક્રમમાં તહીં પ્રમાદ રે પ્રશ્નકર્તા : પ્રમાદને આધાર કોણ આપે છે ? દાદાશ્રી : એ તો ક્રમિક માર્ગની વાત છે. અક્રમમાં પ્રસાદ હોતો જ નથી. પ્રમાદ એટલે અહંકાર હોય તો મદ હોય અને મદ હોય એટલે પ્રમાદ હોય, પ્રમત્ત હોય. અક્રમમાં એ હોય નહીં. આ માર્ગ તદન જુદો છે. એક દહાડોય ચોપડો ચોખ્ખો થયા વગર રહે નહીં એવો માર્ગ છે. સાંજે પ્રતિક્રમણ કરીને બધા ચોપડા ચોખ્ખા જ કરી નાખે. અને કોઈ દોષિત દેખાય નહીં આ દુનિયામાં, બધા નિર્દોષ દેખાય. બધો પોતાનો જ દોષ છે, પારકો દોષ જ નથી. જગતમાં કોઈનો દોષ નથી. એટલે આખું જગત નિર્દોષ છે. પોતાના દોષથી આ બધું ઊભું થયું છે. માટે એ દોષોને ધુઓ. આપણે શું કહીએ છીએ ? પ્રતિક્રમણ કરો. કો'કનો દોષ જોઈને તો આ સંસાર ઊભો થયો છે ને પોતાના દોષ જુએ એટલે મોક્ષે જાય પછી. અને પોતાના દોષ વર્લ્ડમાં કોઈ જોઈ શકે નહીં. સાધુ-આચાર્યોય ન જોઈ શકે. એ તો જ્ઞાનના પ્રતાપે, અક્રમ વિજ્ઞાનના પ્રતાપે પોતાના દોષો દેખાય, નહીં તો એક દોષ ના દેખાય. અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણેય ના થઈ શકે. કેવું સુંદર વિજ્ઞાન ! નિરંતર સમાધિ આપનારું, લઢતાંય સમાધિ ! વઢવઢા થાય, એ પૂર્વભવનું કારણ છે. હા, એ પહેલાંના ભરેલા માલનું કારણ છે. પણ આ વિજ્ઞાન નિરંતર સમાધિ આપે ! સહજ ક્ષમા જ્ઞાતીની વર્તે સદા સામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે. દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું. પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે, કઈ રીતે પ્રતિક્રમણ કરે ? દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો? પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય. પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ? દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની. પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ? દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ. પ્રશ્નકર્તા : ફરજિયાત છે. દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું છે ? એમાં નવું શું કર્યું તે ? અમારી સહજ ક્ષમાં હોય, સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, ‘પસ્તાશો નહીં જરાય. બરાબર છે.” એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307