________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૭૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું
શું ?
કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ ! નિરંતર ‘એલર્ટનેસ' (જાગૃતિ)નો માર્ગ છે આ !
અક્રમમાં તહીં પ્રમાદ રે પ્રશ્નકર્તા : પ્રમાદને આધાર કોણ આપે છે ?
દાદાશ્રી : એ તો ક્રમિક માર્ગની વાત છે. અક્રમમાં પ્રસાદ હોતો જ નથી. પ્રમાદ એટલે અહંકાર હોય તો મદ હોય અને મદ હોય એટલે પ્રમાદ હોય, પ્રમત્ત હોય. અક્રમમાં એ હોય નહીં. આ માર્ગ તદન જુદો છે. એક દહાડોય ચોપડો ચોખ્ખો થયા વગર રહે નહીં એવો માર્ગ છે. સાંજે પ્રતિક્રમણ કરીને બધા ચોપડા ચોખ્ખા જ કરી નાખે. અને કોઈ દોષિત દેખાય નહીં આ દુનિયામાં, બધા નિર્દોષ દેખાય.
બધો પોતાનો જ દોષ છે, પારકો દોષ જ નથી. જગતમાં કોઈનો દોષ નથી. એટલે આખું જગત નિર્દોષ છે. પોતાના દોષથી આ બધું ઊભું થયું છે. માટે એ દોષોને ધુઓ. આપણે શું કહીએ છીએ ? પ્રતિક્રમણ કરો. કો'કનો દોષ જોઈને તો આ સંસાર ઊભો થયો છે ને પોતાના દોષ જુએ એટલે મોક્ષે જાય પછી. અને પોતાના દોષ વર્લ્ડમાં કોઈ જોઈ શકે નહીં. સાધુ-આચાર્યોય ન જોઈ શકે. એ તો જ્ઞાનના પ્રતાપે, અક્રમ વિજ્ઞાનના પ્રતાપે પોતાના દોષો દેખાય, નહીં તો એક દોષ ના દેખાય. અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણેય ના થઈ શકે. કેવું સુંદર વિજ્ઞાન ! નિરંતર સમાધિ આપનારું, લઢતાંય સમાધિ ! વઢવઢા થાય, એ પૂર્વભવનું કારણ છે. હા, એ પહેલાંના ભરેલા માલનું કારણ છે. પણ આ વિજ્ઞાન નિરંતર સમાધિ આપે !
સહજ ક્ષમા જ્ઞાતીની વર્તે સદા સામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે.
દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું.
પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે, કઈ રીતે પ્રતિક્રમણ કરે ?
દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો?
પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય.
પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ?
દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની.
પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ?
દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ.
પ્રશ્નકર્તા : ફરજિયાત છે.
દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું છે ? એમાં નવું શું કર્યું તે ? અમારી સહજ ક્ષમાં હોય, સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, ‘પસ્તાશો નહીં જરાય. બરાબર છે.” એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને