________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
૪૩૩
૪૩૮
પ્રતિક્રમણ
ની
,
દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ તો દેખાય જ ને ! દોષ દેખાય તો આત્મા થયો. શુદ્ધ થાય તો જ દોષ દેખાય ને !
પ્રશ્નકર્તા : પણ આખો દિવસ ? હરેક ક્ષણે ?
દાદાશ્રી : હા, તે દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાનાં કહ્યાં છે કે પોતાના દોષ દેખાય, એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે.
પૈણતી વેળાતાંય પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : કેટલું કેટલું ધો ધો કરીએ છીએ પણ હજુ કેટલાં ચીકણાં કર્મો છે ?
દાદાશ્રી : સંસાર એટલે અતિક્રમણ અને પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. નિયમિત ખાઓ છો, પીઓ છો, હવા આખો દહાડો લો છો ને ? એવું એ પ્રતિક્રમણેય આખો દહાડો રહે.
ફૂમતું ઘાલી પૈણ્યા'તા, તે ઘડીએ શરમ નહોતી આવતી ? આમ ફૂમતું ઘાલીને પૈણેલાને બધા ? હવે તે ઘડીએ વિચાર નહોતો કર્યો કે આ બધાં પ્રતિક્રમણ કરવા પડશે. હવે ભેગાં પ્રતિક્રમણ કરવાં પડે છે તે વસમાં લાગે છે !
દોષ છે તો જોતારોય છે પ્રશ્નકર્તા : દાદા, દોષ દેખાતા બંધ થઈ જાય એવું કરો.
દાદાશ્રી : ના, એ દોષો તો દેખાય, બળ્યા ! દોષો દેખાય છે તેથી તો આત્મા છે ને પેલું શેય છે.
પ્રશ્નકર્તા : પણ દેખાય નહીં એવું ન થાય ?
દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે. પણ હવે એ દોષો નથી, એ જોય છે ને તમે જ્ઞાતા
પસ્તાવો કરે ચંદુ પ્રશ્નકર્તા : કોઈ ભૂલ કરીએ, એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાંય એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ કેમ ના થઈ જવાય ? મનનો ભાવ આનંદિત કે નોર્મલ કેમ ના થાય ? એ તો એકાદ દિવસ સુધી કેમ વળગેલો રહે ?
દાદાશ્રી : તેમાં શું વાંધો છે ? જો પસ્તાવો વધારે તો ફરી ભૂલ થાય નહીં. જાગૃતિ રહે એટલે નુકસાનકારક નહીં. છોને વળગતું હશે, ફરી ભૂલ ના થાય.
પ્રશ્નકર્તા : પસ્તાવો થાય એટલે પછી આપણે બીજા ધ્યાનમાંથી છૂટીને એમાં રહ્યા કરીએને ?
દાદાશ્રી : જેમ જેમ પસ્તાવો થાય તેમ તેમ સારું. તમારે પસ્તાવાની જરૂર નહીં. તમારે તો આ ચંદુલાલ પસ્તાય. આપણે કર્યું નથી.
અધવચ્ચે ફિલ્મ બંધ કરાય ? પ્રશ્નકર્તા હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? તો આ બંગડીઓ કોણ પહેરશે? પ્રશ્નકર્તા : નથી પહેરવી હવે.
છો.
અતિક્રમણોથી ટાળો હવે પ્રશ્નકર્તા : આજે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે
દાદાશ્રી : એ તો આવે જ. પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે.