Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 230
________________ (૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન ૪૦૧ ૪૨ પ્રતિક્રમણ આતા પર ખડો સિદ્ધાંત મહાવીરતો આપણે જેનાં પ્રતિક્રમણ કરીએને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય છૂટી જાય, આ ભવમાં જ ! આ એક જ ઉપાય છે. આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે ! ખેંચે તેનું પ્રતિક્રમણ એવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગવૈષવાળી દરેક ચીકણી ‘ફાઈલને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને, ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવો જોઈએ. આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોઇએ તો જ્યાં જ્યાં કાંકરા ખેંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખેંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય. અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે, પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાંજુદાં હોય. કારણ કે એ પોતે સમજી ગયો છે કે, મારે ગુનો થયો છે એટલે ખેંચ્યા કરે. જ્યાં સુધી એનું પ્રતિક્રમણ ના થાય ત્યાં સુધી ખેંચ્યા કરે, નહીં ? પ્રશ્નકર્તા : બહુ ખેંચતું હતું. દાદાશ્રી : આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી ખૂંચે છે. ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની. નહીં તો અંદર જ માફી મંગાય તોય હિસાબ ચોખ્ખો થઈ જાય. બેઉ પ્રતિક્રમણ કરે ત્યારે કોઈનેય માટે અતિક્રમણ થયાં હોય તો આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે. પણ જો સામોવાળો ના કરે ને તારે છૂટવું હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા: જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયા કરે કે આ રહી ગયું. દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા'ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાનાં. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ એવો આપણે બોજો નહીં રાખવાનો. પ્રશ્નકર્તા: સવારમાં સામાયિકમાં બેસીએ છીએ તે એનો અડધોપોણો ટાઈમ પ્રતિક્રમણ કરવામાં જ જતો રહે છે. દાદાશ્રી : તે ઘડીએ એવો બોજો નહીં રાખવાનો. પંદર દહાડે, મહિને કરોને, બાર મહિને કરો તો ત્યારે ભેગાં કરી નાખો. અતિક્રમણતાં અતિક્રમણો અતિક્રમણને સાચવવા માટે મોટું અતિક્રમણ કરે, એને સાચવવા

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307