Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 716
________________ મક્ષ 33 એટલે અવતારને આ સિદ્ધાંત ઢંગધડા વગરને છે. આ સંસારમાં ભગવાન આવે કે કોઈપણ પ્રાણી આવે તે તે કર્મ વગર આવે નહિ અને નિકર્માને કર્મ લાગે નહિ. તેથી અવતારની આખી વાત કોઈ ફળદ્રુપ ભેજામાંથી નીકળેલ છે, પણ તે બેસે તેમ નથી. અને સાધુને બચાવ અને બેટા પ્રકારના પ્રાણુને નાશ કરવા બીજો કોઈ અવતાર શા માટે લે? એ અવતાર તે મોક્ષમાંથી પતન છે અને મોક્ષ તે નિત્ય છે, શાશ્વત છે, સ્થાયી છે. આ અવતારની આખી કલ્પના નિમૂળ હેઈ છેડી દેવા યંગ્ય છે, કારણ વગર કેઈ કાર્ય બનતું નથી અને અહીં કારણને અભાવ હોવાથી કાર્ય સંભવતું પણ નથી. મુચ્ચમાન પ્રાણી લેકાંતે શા માટે જાય છે? તેમાં પણ દેશી છે. એ આડે અવળે જતું નથી, નીચે જતું નથી, પણ હળવી થયેલ વસ્તુ સ્વાભાવિક રીતે ઉપર જાય તેમ તે લેકાંતે જાય છે. એને માટે શાસ્ત્રકાર લીબેબીનું દષ્ટાંત આપે છે. લીંબોળી ઉપર માટી ચડેલ હોય તે દૂર થતાં જેમ લી બળી જળ ઉપર આવે છે તેમ પ્રાણી કર્મરજથી મુક્ત થતાં સ્વભાવતઃ ઉપર તરી આવે છે. હળવી થયેલ વસ્તુ ઉપર તરી આવે તે સ્વાભાવિક છે. ભાર ખલાસ થયે એટલે વસ્તુ હળવી થઈ ગઈ એમાં શંકા જેવું નથી અને આ ભાર વગરને આત્મા ઉપર આવે, બને તેટલે ઉપર જ જાય તે સ્વાભાવિક છે. અને અલેકમાં તે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં આત્મા જાતે જ નથી, જઈને હાલી ચાલી કે સ્થિર રહી ન શકે એટલે લેકના અંત ભાગ સુધી તે પૂર્વ. * પ્રગને પરિણામે ચાલ્યા જાય છે. યાદ રાખવું કે લેકાંતે જવામાં કઈ કર્મ કામ નથી કરતું, કારણ કે કર્મ તે ખલાસ થઈ ગયાં છે. હવે કોઈ એક પણ કર્મ રહ્યું નથી. એ તે સ્વાભાવિક રીતે પૂર્વપ્રયોગને જે રે જ લોકના અંત સુધી દોડી જાય છે. આ મોક્ષ મેળવવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ત્યાંની નિરંતરની શાંતિ જોતાં તે જરૂર મેળવવા ગ્ય છે, એ માટેનાં સાધને મેળવવા અને મન-વચન-કાયાના પેગોને ત્યાગ કરી અંતે તે મેળવવા પ્રયત્ન કરવો. કદાચ અત્યારે અનુકૂળતા હોય, ચામર વીંઝાતા હય, બિરુદાવળી બલાતી હોય, છડીદાર રસ્તે કરતા હોય, ખાધેપીધે સુખ હોય, સારી આવક હય, જ્ઞાતિ કે સંઘસમાજમાં સ્થાન હોય, પિતાના મંડળમાં ઘટિત સ્થાન હોય, અનેક વેવિશાળે આવતા હોય, નાતજાતમાં પિતાનું માન હોય અને સંતતિ કહ્યાગરી હોય, તે તે કેટલા કાળ માટે ? અને તેને છેડે શું? અંતે વૈભવ તે એક વખત જવાને અને પાછા હતા ત્યાંના ત્યાં. જે વૈભવને છેડે દુઃખ આવે તેને વૈભવ જ કહી શકાય નહિ અને સંસારની અત્યારની અનુકૂળતા પ્રતિકૂળતામાં ફેરવાઈ જતાં વખત લાગતું નથી. માટે જ્યાં નિરંતરનું સુખ મળે તે સ્થાને જ જવાને આપણે પ્રયત્ન છે અને તે સાધ્ય લક્ષમાં રાખતાં અનુકુળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749