Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 17
________________ નં. ૧૩) કે “ It is obvious that Nahapana was a contemporary of Rajuvala the Mahakshatrapa of Mathura દેખીતું છે કે, મથુરાને મહાક્ષત્રપ રાવલ અને નહપાણ સમકાલીન છે.” આ ઉપરાંત અન્ય એતિહાસિક હકીકત મળવાથી, તે સર્વ પરિસ્થિતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે, જેને ચારે તરફથી સમયના આંકડાવડે સમર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પિતે મુદ્દો ન સમજવાથી, જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાને અમારા નામે કરીને, વાચકને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હોય, ત્યાં દેષ કેને? અગાઉ પણ અનેક વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં અને તે વખતે પણ દુખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દૃષ્ટતે આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું. ઉપરમાં લેખિત સાહિત્યની વાત કરી; તેવોજ એક મિખિક પ્રસંગ વર્ણવીશ. આપણું ગુજરાતના એક નામાંકિત વિદ્વાનને અમે બહાર પાડેલ પુસ્તક લઈને ખાસ મળવા જતાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રથમ અમારાં પુસ્તકે તેમની પાસે રજુ કર્યા. (૧) પ્રહ શેનાં પુસ્તક છે? ઉ. “પ્રાચીન ભારતવર્ષનાં તેમણે વળતે જવાબ આપ્યો કે તે વિશે મેં સાંભળ્યું છે. (૨) પ૦ ? ઉઠ હં, આગળ ચલાવે. (૩) પ્રવે--આપે પુસ્તક વાંચ્યાં છે. ઉ–ના. (૪) પ્ર.આપની પાસે આ પુસ્તકે મૂકી જઉ છું. અવકાશે જેઈ જશે; ઉ૦–વાંચ વાને અવકાશ નથી તેમ જેવાં પણ નથી. આવાં પુસ્તક પ્રગટ પણ થવા ન જોઈએ. (૫) આપે પુસ્તક વાંચ્યા નથી, જેમાં નથી તે આ અભિપ્રાય શા ઉપરથી બાંધો છે? ઉ–તે વિશે બીજાઓ પાસેથી ખૂબ સાંભળ્યું છે એટલે હવે જેવાં જ નથી. આ પ્રમાણે જ્યાં પૂર્વબદ્ધ વિચારેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય ત્યાં બીજો ઉપાય ક્યાં રહ્યો? વિવેકપૂર્વક સલામ કરી છૂટે પડયો. આ પ્રમાણે પુસ્તક માંહેલી હકીકતની વિરૂદ્ધતાની સ્થિતિ જ્યાં સુધી જાણવામાં આવી ત્યાં સુધી વર્ણવી છે. ત્યારે બે સ્થાને વળી જુદા જ સ્વરૂપે તે નિહાળાઈ છે. (એક) કાશીથી પ્રગટ થતી નાગરી પ્રચારણી સભાની પ્રત્રિકા ભા. ૧૬ અંક ૧. વૈશાખ ૧૯૮૧ના અંકમાં લગભગ ૬૫ પૃષ્ઠોને ઉજ્જૈનના શ્રી. પં સૂર્યનારાયણ વ્યાસે પોતાના નામે “પદગ્રુત મહારાજા અશોક અથવા સંપતિના શિલાલેખ” વાળો અમારે આખીય લેખ ઉતાર્યો છે. પત્રકારે અથવા લેખક મહાશયે આવા પ્રસંગે મૂળ લેખક પ્રત્યે જે સોજન્યત્રણ બતાવવું જોઈએ તે બતાવ્યું નથી. અલબત કયાંક ક્યાંક (ચાર-પાંચ સ્થાને) અમારું નામ લેવાઈ ગયું છે * તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમનું પુસ્તક, મથુરાને સિંહ જ પૃ. ૧૯ પંકિત ૨૩) વાસ્તવમાં સિંહબ્રજની પ્રતિષ્ઠા વખતે નહપાની હસ્તી જ હતી નહીં, તે સો વર્ષ પછી થયો છે. કોઈ વિદ્વાન તેનો ઉલ્લેખ કરતો નથી. (તે પછી જ. બ. ઍ. ર. એ. સે ના લખાણનો અર્થ શું?) આવી તો કેટલીયે અજ્ઞાન પૂર્ણ ટીકાઓ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 496