Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 24
________________ તેટલો લાભ લે, એજ આપણું કર્તવ્યસૂત્ર હોવું જોઈએ. સ જન–સમાગમ સહેજે પ્રાપ્ત થઈ શકે તેમ નથી, એટલા માટે ઉત્તમ પુસ્તકે કે ઉત્તમ જીવન-ચરિત્રે પણ ન વાંચવા એવી સલાહ બી. લકુલ સ્વીકારવા એગ્ય નથી. પ્રત્યક્ષ સચ્ચરિત્રના દ્રષ્ટાંત વિના આ પણું જીવન સંપૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે તે પણ તેનું જ્ઞાન, છેક અજ્ઞાનાવસ્થા કરતાં ઘણું ઉપકારક છે. જ્ઞાનના પ્રકાશમાં મનુષ્ય પિતાને માર્ગ ગમે ત્યારે પણ શોધી શકે છે, જયારે અજ્ઞાન મનુષ્ય તરફ ભટકી વળવા છતાં પોતાને ગ્ય એ માર્ગ મેળવી શકતો નથી. જે સચ્ચરિત્ર પ્રત્યેને આપણે ઉત્સાહ કાયમ રહે તે ધીમે ધીમે આપણે પોતે જ સચચરિત્રતાના દ્રષ્ટાંતસ્વરૂપ બની શકીએ, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. જ્ઞાન અને સદાચારને સંગમ થવાથી જીવન આનંદમય પસાર કરવાનો રાજમાર્ગ હાથમાં આવી જાય છે. તમે જાણતા હશો જ કે મનુષ્ય-જીવનમાં અનેક સમયે એવા પ્રસંગે પ્રાપ્ત થાય છે કે તે સમયે કષ્ટ અને આપત્તિનો ભાર સહ્યા વિના ચાલતું નથી. પરંતુ આપણા અંતઃકરણમાં જે જ્ઞાન અને સદાચારને નિર્મળ દીપક સળગતા હોય છે, તો એ કષ્ટ અને દુઃખ આપણને મુંઝવી શક્તા નથી. આપણા ગૃહસંસારમાં ઘણુંવાર મતભેદને લીધે અથવા ગેરસમજુતીને લીધે અનેક કલેશ-કંકાસો ઉત્પન્ન થાય છે. પણ તે વખતે જે આપણું અંત:કરણ સદાચારથી દ્રઢ થયેલું હોય છે તે તે વિરોધની કશી અસર આપણું ઉપર થતી નથી. મિત્રો અથવા કુટુંબીઓ ગમે તેટલો આપણું ઉપર અન્યાય કરે તે પણ તેઓ આપણા ચિત્તની નિર્મળ-આનંદમય સ્થિતિને નષ્ટ કરી શકતા નથી. જે વ્યવહારથી સામાન્ય મનુષ્યને અનંત વે. દના થાય છે, તે જ વ્યવહાર સચ્ચરિત્ર પુરૂષને ખેદ પ્રકટાવવાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56