Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 43
________________ બહુ તફાવત છે. સુખમય જીવનને માટે નમ્રતા, તથા સદાચાર સિવાય બીજું કઈ ઉત્તમ સાધન નથી. બને ત્યાં સુધી સ્વતંત્રતા પૂર્વક આજીવિકા ચલાવાય તે બહુ સારૂં. વ્યાપાર કરવાથી નોકરી કરતાં એ છે લાભ થાય તે પણ નોકરી કરતાં વ્યાપાર હજાર દરજજે ઉત્તમ છે. કારણ કે વ્યાપાર આદિ સ્વતંત્ર પ્રવૃત્તિમાં આગળ વધવાનું કાર્ય આપણું પોતાના જ હાથમાં હોય છે; જ્યારે નેકરીમાં જે કઈ કદર ન કરે તે આપણું ગમે તેટલી મહેનત પણ વ્યર્થ જાય છે. ખેતી તથા કારીગરી કિંવા ઉદ્યોગ-હુન્નરમાં પડયું હોય તો પણ તમારા માટે તે બહુ લાભદાયક છે. એટલું છતાં નેકરી કરવાને જ વિચાર હોય તે તમારે અંગ્રેજી ભાષાનું અતિ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાને વ્યવહાર એટલો બધો વધી પડે છે કે તે સિવાય એક પગલું પણ આગળ વધી શકાય નહીં. તમારે ગમે તે વિષયનું અધ્યયન કરવું હોય તો અંગ્રેજી ભાષાની સહાયતાથી તમે તે બહુ સહેલાઈથી કરી શકશે. કારણ કે અંગ્રેજી ભાષાનું સાહિત્ય એટલું બધું ખેડાયેલું છે કે તેમાં કોઈ વિષય બાકી રહ્યા નથી. જે વિદ્યાથી અંગ્રેજી ભાષા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવી શકે છે, તે અભ્યાસ પોતાની મેળે કરી શકે છે, એવા ઉત્તમ ગ્રંથ અંગ્રેજી ભાષામાં તૈયાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56