Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 36
________________ વિચારવા લાગ્યું કે-“અહીંઆ નથી કે મારે મિત્ર કે નથી કેઈ મારે સગા-સંબંધી. હું આ વિશાળ નગરમાં કયાં જઈને ઉભે રહીશ. અને કેની પાસે જઈને નેકરીને માટે પ્રાર્થના કરીશ?” આવા વિચાર આવતાં તેની આંખમાં સહસા અથુ ઉભરાઈ નીકળ્યાં. તે પુનઃ વિચારવા લાગ્યો કે-“અહીંથી પાછા કામને ત્યાં જઉં તો કેમ ? જો કે કાકાને ત્યાં મને જેવું જોઈએ તેવું ચેન પડતું નથી, પરંતુ ત્યાં જે વખતે દીલ ગભરાય છે. તે વખતે મારા માતા-પિતાની કબરે પાસે જતાં અને બેસતાં કેટલે આનંદ અને ઉત્સાહ મળે છે? આ વિશાળ નગરીમાં મારા પૂજ્ય માતપિતાની કબરે કયાંથી જોઈ શકીશ? માત-પિતાના સ્મરણ ચિન્હો જેવાથી અને સ્પર્શવાથી મને જે આનંદ અને આવેશ પ્રકટે છે તે અહીંઆ કેવી રીતે અનુ. ભવીશ?”એટલામાં પાછા તે દેવળના ઘંટાના ધ્વનિએ મી. રીચર્ડના કર્ણગોચર થયા. પુનઃ તે પ્રતિધ્વનિઓ મી. રીચને સબધીને કહેવા લાગ્યા કે “મી. રીચર્ડ ! શા માટે ગભરાય છે ? ચાલ અમારી નગરીમાં આવે અને તારા સ્વબળથી લંડનને અમીર થા !” મી. રીચર્ડ છેવટે ટટ્ટાર થયે, અને જાણે નવું ચૈતન્ય પ્રાપ્ત કર્યું હોય તેમ પૂર્ણ આશા–ઉત્સાહ અને આશ્વાસન પૂર્વક નગરીમાં દાખલ થયે. આગળ ચાલતાં એક વ્યાપારીની દુકાન તેની નજરે પડી. મી. રીચર્ડ દુકાનમાં સીધી રીતે દાખલ થયે અને જે સ્થળે દુકાનને માલીક બેઠે હવે તે સ્થળે જઈ અતિ વિનય પૂર્વક પ્રણામ કરીને ઉભે રહ્યો. દુકાનદાર શેઠે તેની સામે મમતાભરી નજર ફેરવી, એટલે મી. રીચડે પોતાની કરૂણાપૂર્ણ કહાણું સંભળાવવાની શરૂઆત કરી. તેણે જણાવ્યું કે હું છેક અનાથ અને નિર્ધન છું. આ નગરીમાં મારું કેઈ સગું હોલું કે મિત્ર પણ નથી, કે જેને ત્યાં જઈને ઉભે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56