Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 30
________________ રાખવો જોઈએ. કદાચિત્ કેદની જ્વાળાથી તમારું મન ક્ષુબ્ધ થઈ આવે તો તત્કાળ ક્ષમારૂપી વારિથી તેને શાંત કરી દેવું. કેઈ તમને ગાળો આપે તે તેની સામે બદલામાં ગાળો નહીં આપતાં ગંભીરતા પૂર્વક ચાલ્યા જવું, આપણી જીભને ઉપયોગ કેઈની નિંદા કરવામાં કે કેઈની ખોદણું કરવામાં ન થાય તેવું લક્ષ રાખવું. જીલ્ડા વડે જગત્ પિતાની સ્તુતિ કરવી, પોતાના દેષને માટે ક્ષમા યાચવી ઇત્યાદિ કર્તવ્ય થવાં જોઈએ. જેઓ પોતાની જીભને ઉપગ બીજાને ગાળો ભાંડવામાં કે બીજાના હૃદયને સંતાપવામાં કરે છે, તેઓ ને હું બુદ્ધિમાન મનુષ્યની શ્રેણીમાં સ્થાન આપતું નથી. આવી રીતે પિતાની જીભને દુરૂપયોગ કરનારા પિતાનું જ અહિત કરે છે. કારણ કે અપશબ્દને વ્યવહાર કરવાથી સામા મનુષ્યનું મન જેટલું ક્ષુબ્ધ થાય છે, તેટલું જ ગાળો આપનારનું મન પણ ક્ષુબ્ધ થાય છે. બીજા મનુષ્યનું દિલ દુભાય તો આપણું પણ દુભાય જ, એ હૃદયને ગૂઢ ધર્મ છે, તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે એક મનુષ્ય કેઈના ઉપર ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ કરનારને હેરે અનેક વિકારો અને આવેશેથી છવાઈ જાય છે. તે વખતે તેના સુદયમાં એવું તે તુમુલ યુદ્ધ ચાલે છે કે તેને આપણને તે વખતે ખ્યાલ પણ આવી શકે નહીં. એટલાજ માટે આપણું ઉપદેશકેને કહેવું પડ્યું છે કે કોઈને નિયમમાં રાખવાથી જે સુખ મળે છે, તે ક્રોધ કરવાથી કદાપિ પ્રાપ્ત થતું નથી. કોધ ઉપર કાબુ ધરાવનાર માણસ એટલે વખત દુ:ખમાંથી બચાવી લઈ શકે છે, જ્યારે વાત વાતમાં ક્રોધાવિષ્ટ થનાર મનુષ્ય ક્ષણે ક્ષણે ક્રોધની જવાળામાં ભસ્મીભૂત થયા કરે છે, મનુષ્ય જેમ જેમ ઉત્તમ વિચારેને સેવ્યા કરે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56