Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 23
________________ ૧ સબત, આ ભવસાગર તરવામાં નૈકા સમાન થઈ પડે છે. માટે બને ત્યાં સુધી ઉત્તમ પુસ્તકના વાંચનની સાથે સતપુરૂષના સમાગમમાં રહેવાની ભાવના રાખવી. સજજન-સમાગમથી સદ્દગુણેની અસર હૃદય ઉપર એવી તે દ્રઢપણે બેસી જાય છે કે પુન: તે નાબુત થઈ શકતી નથી. જે સ્થળે આ સજન-સમાગમ દુર્લભ જણાત હોય તે સ્થળે ઉત્તમ પુસ્તક તથા ઉત્તમ લેખેને સહવાસ ચાલુ રાખવાથી એ અભાવ છેડે ઘણે અંશે દૂર થઈ શકે છે. કેટલાએકે કહે છે કે આપણે તે ઉત્તમ કાર્યો અને શુભ આચરણનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એટલે બસ.” પણ આ વાત યાદ રાખજો કે સચ્ચરિત્ર વિના જ્ઞાન અપૂર્ણ છે. તમારામાં ગમે તેટલું ઉત્તમ જ્ઞાન ભર્યું હોય, પણ જે તેની સાથે સદાચાર ન હોય તે એ જ્ઞાનને હું બહુ મૂલ્યવાન માનતું નથી. કેવળ માત્ર જ્ઞાનથી કાંઈ લાભ નથી. તેની સાથે જે સચ્ચરિત્ર હોય, જ્ઞાનની સાથે મહાપુરૂષોના પવિત્ર જીવનની અસર પણ હૃદય ઉપર ચિરસ્થાયીપણે રહી ગઈ હોય તેજ તે જ્ઞાન અમૂલ્ય વસ્તુ છે, એમ કહી શકાય. જ્ઞાન અને ચારિત્રનો સંગમ એજ ખરૂં તીર્થ છે. બુદ્ધિ અને અનુભવથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે જે વસ્તુ આપણે માટે લાભદાયક હોય, અને કમનસીબે તે વસ્તુ સં. પૂર્ણ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે એમ ન હોય તે જેટલે અંશે બની શકે તેટલે અંશે તે પ્રાપ્ત કરવાને આપણે પ્રયત્ન કરે જેઈએ. હું એમ કહેવા માગું છું કે જે આ સમયે તમને સત્ પુરૂષોને સમાગમ અપ્રાપ્ય અથવા અશકય જણાતો હોય તો ઉત્તમ પુસ્તક દ્વારા, કિંવા ઉત્તમ પુરૂષના જીવન-ચરિત્ર દ્વારા મહા પુરૂના જીવન-પ્રસંગેને અભ્યાસ કરે. પ્રત્યક્ષ દર્શનના અભાવે કે પુસ્તક દ્વારા કે ચિત્રદ્વારા તેમના સગુણેને, બને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56