Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "હનુમાનભાઈ ! મારી આબરૂ રાખે. તમને અત્યારે આ સુઝપું ' ઓધવજીએ માથેથી પાઘડી ઉતારીને હનુમાનભાઈના પગમાં મૂકી દીધી. જુઓ, ઓધવજી ! તમે મને છેતર્યો છે, મારા દીકરાની જિંદગી સાથે તમે રમત આદરી છે. આ લગ્ન કે ઈ સંજોગોમાં થઈ શકે એમ નથી.’ હનુમાનભાઈએ પેતાને આખરી નિર્ણય સંભળાવી દીધે. પણ”....... પણ તે બણ, મારે તમારી મૂંગી દીકરી સાથે મારા છોકરાનાં લગ્ન કરવાં નથી. હનુમાનભાઈએ ઘટસ્ફોટ કર્યો અને ઓધવજી કંઈ પણ કહે એ પહેલાં ઓરડામાંથી બહાર નીકળી ગયા. ઓધવજી પણ એમની પાછળ દોડયા. અંજલિ જમી ત્યારે સુંદર મજાનું કાલું કાલું બોલીને આનંદ આપતી હતી, પરંતુ જયારે એ પાંચેક વર્ષની થઈ હતી ત્યારે ઘરમાં એકલી હતી અને પશમાં ઘરની આગ જોઈને ભયથી ચીસ પાડી ઊડી હતી. એ ચીસ આખરી બની ગઈ હતી. એકની એક દીકરી માટે ઓધવજીએ ઘણું દેરાધાગા કરાવ્યા, પણ એ બોલતી ન થઈ. કેટલીય માનતા માની, પણ ઘેર નિરાશા સિવાય કંઈ જ ન મળ્યું. મોટા મેટા દાક્તરે પાસે અંજલિને લઈ ગયા, પણ તમામ દાક્તરોએ અભિપ્રાય આપી દીધેલ : ઓધવજી : તમારા વાત્સલ્યને સમજીએ છીએ, પરંતુ અંજલિને બેલતી કરવાના કંઈ જ ઉપાય અમને હાથ લાગતા નથી.' દિવસે દિવસે અંજલિ વડલે બન ગઈ. એના શરીર ઉપર રૂપે ઘેરે ઘાલ્યો. એક સારી સંસ્થામાં ભણીને એણીએ પદવી પ્રાપ્ત કરી. બાર ગાઉ ફરતે એના જેવી રૂપાળી અને શાણી છોકરી નજરે પડતી ન હતી. એ બિચારીને માત્ર એક જ ખોડ હતી વાચાની. ઘરકામ અને વ્યવહારમાં કાબેલ બનેલી દીકરી માટે ઓધવજીને કેડ જાગ્યા અને અંજલિને સારે ઘેર વળાવવા મુરતિયાની શોધ આરંભી. સીધે, સરળ, વિવેકી અને દેશભક્તિનાં સેણુત સેવ હનુમાનભાઈ પ્રાણસુખ એમને ગમી ગયે. પ્રાણસુખે અંજલિને જોઈ લીધી અને લગ્ન માટે હા ભણી દીધી, અત્યારે પિતાએ લગ્ન અટકાવ્યું એ પ્રાણસુખને ન સમજાયું, ન ગમ્યું. ઓરડામાંથી ઉશ્કેરાઈને આવેલા પિતાએ કહ્યું “બેટા! પ્રાણસુખ! તું અંજલિને જોવા આવ્યા ત્યારે એની સાથે વાતચીત કરી હતી ?' 'ના, પિતાજી! પણ એનાં વ્યવહાર ચપળતા હોશિયારી અને એનું સૌન્દર્ય જોઈને હું જિવાઈ ગયા હતા. મને અંજલિ ખૂબ જ ગમી ગઈ, પણ અત્યારે વાત શી છે?' પ્રાણસુખે અંજલિ તરફ નિહાળીને પિતાને પ્રશ્ન પૂછ્યો. અનુસંધાન ૫. ૩૮ થી જોઈ લેતે હતે.'કેત મંદ મંદ હસતી હતી. રૂપાએ સૂરજબાને કાનમાં કંઈ વાત કરી. ધીમેથી રૂપાંએ પેંગના બે ટુકડા કરી એક એક ટુકડે કેતન અને કેતકીના મુખમાં મૂકી દીધા. આ જોઈ બધાં હસવા લાગ્યાં. કેતકી શરમથી નીચું જોઈ ગઈ. કેસેટ પર દર્દભર્યા કંઠવાળા ગાયક સાયગલનું ગીત વાગી રહ્યું હતું ? મનકે ઘર મેહસે બદલે, દુઃખ ભી સુખ બન જાઈ.” 8. એક ૪, શમીન સેસાયટી, ગુલબાઈ ટેકરે, અમદાવાદ-૩૮૦૦૧૫ પથિ-દીપેસવાંદ . ૧૯૮લાક-નવે. _ ૪૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85