Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 16 ભાગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત જવાબ આવે તેટલા પાછળથી અંકો છેલ્લેથી ત્રીજી પંક્તિમાં પસાર થયા છે. ત્યાર પછીનો અંક ખોવાયેલા ભાંગાની છેલ્લેથી ત્રીજી પંક્તિમાં મૂકવો. જો શેષ ન રહે તો બાકીના અંકો ક્રમથી પહેલી વગેરે પંક્તિઓમાં મૂકવા. જો શેષ 0 રહે તો જવાબમાંથી 1 બાદ કરવો. જે જવાબ આવે તેટલા પાછળથી અંકો તે પંક્તિમાં પસાર થયા છે. ત્યાર પછીનો અંક તે પંક્તિમાં મૂકવો. બાકીના અંકો પહેલી વગેરે પંક્તિઓમાં ઉત્ક્રમથી મૂકવા. અંતિમ વગેરે પંક્તિઓમાં જે અંકો મૂકાયા હોય તે અંકો તેની પૂર્વેની પંક્તિઓમાં પસાર થયેલા ગણાય નહીં. દા. ત. (1) પાંચ પદોનો 30 મો ભાગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. *: 2 = 1, શેષ 6. 24 તેથી પાંચમી પંક્તિમાં 5 નો અંક પસાર થઈ ગયો છે. તેથી 30 મા ભાંગાની પાંચમી પંક્તિમાં 4 મૂકવો. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. શેષ 6 ને આ 6 થી ભાગવા. : E = 1, શેષ 0.