Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત 19 * = 1, શેષ 0. શેષ 0 છે. તેથી જવાબમાંથી 1 બાદ કરવો. . 1-1 = 0. તેથી ત્રીજી પંક્તિમાં કોઈ પણ અંક પસાર થયો નથી. તેથી 50 મા ભાંગાની ત્રીજી પંક્તિમાં 5 મૂકીએ તો સમયભેદ થાય, કેમકે ચોથી પંક્તિમાં પ મૂક્યો છે તેથી 4 મૂકવો. બાકીના અંકો 1, 2 50 મા ભાંગાની પહેલી, બીજી પંક્તિઓમાં ઉત્કમથી મૂકવા. તેથી 50 મો ભાંગો = 21453. (5) 5 પદોનો 65 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 65 = 2, શેષ 17. તેથી પાંચમી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી 65 મા ભાંગાની પાંચમી પંક્તિમાં 3 મૂકવો. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. શેષ = 17. - 1 = 2, શેષ 5. તેથી ચોથી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી 65 મા ભાંગાની ચોથી પંક્તિમાં 3 મૂકીએ તો સમયભેદ થાય, કેમકે પાંચમી પંક્તિમાં 3 મૂક્યો છે. તેથી ર મૂકવો.