Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 266
________________ ( ૨૨૩ (૪) શુભાશુભ બાહ્યનિમિત્તની અસર અને કારણતા નવીન મત નામંજૂર કરે છે; ત્યારે જૈનશાસન એને સારી રીતે માને છે. તેથી જ કર્મયુગલના સંયોગથી જ જીવને સંસાર કહે છે. જૈન મત ઉપાદાન શુદ્ધિ ઉપરાંત શુભ નિમિત્તોની અસરના અનેક દૃષ્ટાંત કહીને ખાસ કરીને શુભનિમિત્તો સેવવાનું કહે છે. એવું વેશ્યાદિ કુસંસર્ગનો ત્યાગ, ખરાબ ભાષાનો ત્યાગ, કાયિક બાહ્ય કુચેષ્ટાઓનો ત્યાગ, વગેરે વગેરે અશુભ નિમિત્તોને ત્યજવાનું ઉપદેશે છે. (જે ત્યાગને આચરવાનું નવીનમતીને પણ કબૂલ કરવું જ પડશે. નહિતર માત્ર કાયાથી પરસ્ત્રીના આલિંગનમાં નવીન મતે શો વાંધો ?) પણ નવીન મતે એ નિમિત્તોની અસર નથી. તેથી એ મત જૈન મત નથી. (૫) જિનશાસનમાં પારદ્રવ્ય એવા પુણ્ય-પાપ કર્મના ઉદયની કિંચિત્કરતા જીવ પર માનીને જીવમાં ઔદયિક-ભાવ માન્યો છે; તેથી જ સંસારી જીવમાં શાતા-અશાતા માનવશરીરીપણું, દેવશરીરીપણું, ઉંચ-ગોત્ર, યશ વગેરે અનેક પરિણામો જન્મે છે. તેમજ પુણ્યજન્ય માનવભવથી મોક્ષ પુરુષાર્થ થાય છે. નવીનમતીને પુણ્ય પણ નકામું કહેવું છે. એટલે એ જૈનમત નથી. (૬) શ્રી જિનેશ્વર દેવના શાસને ભવિતવ્યતાને નિયતઅનિયત કહી છે; નિયત એ રીતે કે કેવળજ્ઞાનીએ દીઠેલું અવશ્ય બનશે; જ્ઞાનીએ દીઠેલી વસ્તુ બનવામાં કાંઈ ફેરફાર નહિ થઈ શકે. અનિયત એ રીતે કે જ્ઞાનીએ એવું કેમ દીઠું? કારણ એ છે કે જીવને અમુક અમુક કર્મનો ઉદય અનુકૂળ હશે, તેમાં જીવ તે તે પુરુષાર્થ કરશે ત્યારે જ તેવું તેવું પરિણામ આવીને ઊભું રહેશે. માટે જ્ઞાની તેવું જુએ છે. અર્થાત્ તે તે પરિણામ આવવામાં જ્ઞાનીની દૃષ્ટિ કારણભૂત નથી. તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322