Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 284
________________ ( ૨૪૧ નકામી, પર-દ્રવ્ય કાંઇ કરતું નથી, નિમિત્ત કારણ નકામું છે'...વગેરે વગેરે ભ્રમણાના પોપટ-પાઠમાં જીવન વેડફાય જાય છે ! તો એમનું ભાવી કેવું થશે !! ખૂબી તો જુઓ કે, નવીન મતે આપત્તિ - (૧) નવનમતીઓ ખાટાં, મીઠાં કે તીખા તમતમતા રસદાર ભોજનો કર્યો જાય તો એ ભોજનક્રિયા તો જડની ક્રિયા છે, એની કાંઈ અસર એમને આત્મા ઉપર માનવાની નથી, તેથી એમાં ઓછપ કરવાની શી જરૂર ? તેમ ઓછપ કરનારી ક્રિયા જેવી કે તપસ્યા, રસત્યાગ વગેરેની એમને ત્યાં શી યોજના ? (૨) એમ એમના સિદ્ધાંત મુજબ લક્ષ્મી ઉપાર્જવાના, નોકરી-વેપાર-વકીલાત-ડૉકટરી વગેરે ઉપાયોની કાર્યવાહીને આત્માને શુદ્ધાશુદ્ધ ભાવો સાથે કાંઈ લાગતું-વળગતું નથી. તેથી પરિગ્રહની એ કાર્યવાહી ઓછી કરવાનો કે મમતા કાપનારી દાનાદિ ક્રિયાની એમને શી જરૂર? (૩) અરે ! આગળ વધીને વિચારીએ તો એમનો નિમિત્તની નપુંસકતાનો સિદ્ધાંત, એમનો-“જડક્રિયાની ચેતનાના ગુણદોષ ઉપર કોઈ અસર નહિ'એવો સિદ્ધાંત એમને મૈથુનની ક્રિયાય ઓછી કરવાનું શા માટે કહે ? કેમ કે કામ-પાત્રનાં ગમે તેવા અંગ-ગૂંથણ એ તો જડ શરીરની ક્રિયા છે. એની પર એવા આત્મ-દ્રવ્યના રાગ વાસનાદિ ઉપર એમના મતે કોઈ અસર નથી ! તેથી એમને એને ઓછી કરવાની જરૂર નથી! ઓછા તો રાગાદિને કરવાના ! બાહ્ય ક્રિયાને નહિ ! વળી એ ગલીચ ક્રિયાઓ તે તે ગાત્રોના પહેલેથી જ નિયત થયેલા ક્રમબદ્ધ પર્યાય છે; એથી એ કાંઈ આત્માના વાસના-કામરાગાદિ અશુદ્ધ ભાવોથી પ્રવર્તે છે એવું નથી. એટલે કે વાસનાદિ વિના પણ પ્રવર્તી શકે; અને એમાં વાંધો શો ? આત્મદ્રવ્ય જુદું છે, શરીર દ્રવ્ય જુદું છે; તેથી આત્માના રાગાદિભાવોની અસર શરીર ક્રિયા ઉપર હોય જ નહિ. એટલેય રાગાદિભાવો રહે કે ન રહે, પણ શરીરની એ કામ-ચેષ્ટાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322