Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ (૨૪૨ ઓછી કરવાની શી જરૂર? આત્માને કાયિક બ્રહ્મચર્ય અને સદાચાર સુદ્ધાં પાળવાનું એમના મતે કોઈ ફળ નહિ, તો પછી એનુંય પાલન શા સારું ? આમ નવીન મતે આહાર-વિષય-પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી કરવાનું કે તપસ્યા-શીલ-દાનની ક્રિયાઓ આચરવાનું આત્માને ઉપયોગી નથી; તેથી જ એમાં કોઈ ધર્મ નથી. એટલે (૪) એના બદલે “અંતરાત્માની શુદ્ધિ કરો, રાગાદિ વિભાવો દૂર કરો, આત્માના શુદ્ધ વીતરાગી સ્વરૂપને ઓળખી ક્યાંય કાવત્ દેવાધિદેવ પરમાત્મા કે સદૂગર ઉપર પણ રાગવાળા ન બનો...' આવા આવા દોઢ ડહાપણમાં નવીન મતીનું મહામૂલું માનવ જીવન વેડફાય છે. (૫) નથી એને શત્રુંજયાદિ મહાતીર્થોની કે શ્રી આદીશ્વરદાદા વગેરેના અદ્ભૂત બિંબો ની ભક્તિ ઉપાસના કરવાની; કે (૬) નથી એને આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિમહર્ષિઓની સેવા શુશ્રુષા કરવાની. ઉલટું, (૭) એને તો અહો ! આ પાષાણ અને આ પાખંડીઓથી તરવાનું અજ્ઞાન ઠીક ચાલી પડ્યું છે !' એમ મશ્કરી કરી એની ઉપાસના કરતા હોય તો તે મૂકી દેવાની છે, અને કામપાત્ર, રસમય આહાર, વિષયો, પરિગ્રહ અને આરંભ-સમારંભાદિની ઉપાસના કર્યો જવાની છે ! (૮) નવીન મતીને આ બધા આહાર-વિષયાદિથી જરાય ડરવાનું નથી, એ એક મહાન આશ્ચર્ય છે ! એને તો ડરવાનું છે ધર્મક્રિયાઓથી ! ત્યાગ તપસ્યાથી ! દાનશીલથી ! વ્રત-પચ્ચકખાણોથી ! માનેલા મિથ્યાત્વોથી ડરવાનું છે ! “રખેને એ બધાથી ભાવવૃદ્ધિ ન થાય! વાહ ! કેટલું ભયાનક અજ્ઞાનતાંડવી કેટલી કારમી ગાઢ મિથ્યાત્વની રીબામણ ! કેવા ભયંકર ભવભ્રમણની વૃદ્ધિના કારસ્તાન ! બે પ્રવેશ: વ્યવહારરાશિ અને ચરમાવર્ત - હવે આપણે એ જોઇએ કે વસ્તુગત્યા આત્મા કેવી રીતે ઉંચે આવે છે. જૈન સિદ્ધાંત કહે છે કે સંસારમાં બે પ્રવેશ અતિ મુશ્કેલીભર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322