Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 304
________________ ૨૬૧ જૈન-કુલમાં જન્મેલાને સહેજે જિનેશ્વરદેવ એ પરમાત્મા તરીકે, નિગ્રંથ સાધુ એ ગુરુ તરીકે અને જૈનધર્મનો પંથ મળે છે. એ પામીને એમને મહા કિંમતી સમજી એમના ઉપર અનન્ય પ્રીતિ ભક્તિ કેળવ્યે જવી જોઇએ. જિનમૂર્તિની, ઊંચી ઊંચી વસ્તુથી, ખૂબ ભક્તિ-પૂજા-ઉત્સવ, એમની આગળ એમના અનંતગુણ અને ઉપકારના સ્તવન તથા નિજના દોષોના ગર્હણ, સદ્ગુરુના આદર-સમાગમ-દાન-ઉપદેશશ્રવણ, સાતક્ષેત્રની ભક્તિ, દાનશીલ-તપ-ભાવની શક્ય આરાધના, શુભ ભાવના, તત્ત્વ ચિંતન, વૈરાગ્યવૃદ્ધિ, જિનેશ્વર દેવો અને અન્ય મહાત્માઓના જીવન ચરિત્રનો અભ્યાસ, દયા, પરોપકાર, શક્ય વ્રત નિયમો વગેરેમાંથી જેટલું બને તે સહર્ષ સાધવું જોઇએ. આત્મા જન્મે જૈન ન હોય તો પણ જ્યારે એ મોક્ષષ્ટિના પ્રભાવે બહિર્મુખ મટીને આંતર્મુખ બને છે તેમજ એનામાં દિનપ્રતિદિન મધ્યસ્થતા ગુણ ખીલતો આવે છે, ત્યારે એથી એને સત્ય તત્ત્વની વધુને વધુ જિજ્ઞાસા જાગે છે. એમાં ક્યાંક શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા અથવા એમના અનુયાયીનો સમાગમ મળી જાય છે. ત્યાં એમની પાસેથી સત્યતત્ત્વ જાણવાની અપૂર્વ તક મળે છે. ત્યાં કદાચ પોતાની જ્ઞાનશક્તિ ઓછી હોય તો પોતાની બુદ્ધિ, તત્ત્વોના વિસ્તાર અને ઠેઠ ઉંડાણમાં અલબત્ત નથી પ્રવેશતી; છતાં શ્રી સર્વજ્ઞ અરિહંત પ્રભુની પિછાણ થવાથી સર્વજ્ઞ-વચન ઉપર એવી હાર્દિક શ્રદ્ધા આત્મિક કોમલતા સાથે પ્રગટે છે કે ત્યાં મિથ્યાત્વના પડદા ચીરાઇ જાય છે ! મિથ્યાત્વના અંધેરા ઉલેચાઇ જાય છે ! નય નિક્ષેપાનું, નવ તત્ત્વનું, અનુયોગ-અનુગમનું વગેરે સૂક્ષ્મ અને વિસ્તૃત જ્ઞાન હોય તો જ સમ્યક્ત્વ હોય એવું નથી. ઉલટું એમ કહો કે એવું એવું જ્ઞાન તો હોય પરંતુ આંતર પરિણતિ સંસારસુખ અને એના સાધનો તરફ ભય અને ઘૃણા-તિરસ્કારવાળી ન Jain Education International For Private & Personal Use Only , www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322