Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ ( ૨૫૦ એમ જ અહિંસાદિ પાંચ એ યમ કહેવાય છે; અને તપ, સ્વાધ્યાય, ઇશ્વર-પ્રણિધાન (ધ્યાન); ઇન્દ્રિયજય અને મનઃશુદ્ધિ એ પાંચને નિયમ કહેવામાં આવે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રાધ્યયન, મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન તથા તત્ત્વપઠનાદિ. આર્યોના આ યમનિયમનું પાલન એમને અનાર્ય અને મ્લેચ્છો કરતાં ઊંચી કક્ષામાં રાખે છે. એ પાલન પાછળ જો કોઈ સાંસારિક લાભની આશંસા નથી, તો એ મોક્ષરુચિ જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં ખૂબજ સહાય કરે છે. મોક્ષની પ્રીતિ એવી સહેલી વસ્તુ નથી કે વિરોધી સંયોગોના જોરમાં એમજ જાગી જાય અને ટકી જાય ! કેમ કે સાચી મોક્ષની રુચિ એટલે દુન્યવી સંયોગજન્ય કોઈ પણ સુખ પર રુચિ નહિ; હવે એ રુચિ ક્યારે જાગે કે ક્યારે ટકે? સંસારના ઈષ્ટ સંયોગોના જો તેટલા જ ભોગ-ઉપભોગના ઘેરાવાની વચમાં રત્યે જવાય તો અનાદિનો ઊંધો ટેવાયેલો જીવ શું પહેલેથી જ વીતરાગ દશાવાળો બની શકશે કે જેથી બહારના સંયોગોના ઉપભોગની એને કોઈ અસર નહિ થાય ? શી રીતે એમ બને? અનંત અનંત કાળના આહાર વિષય પરિગ્રહના ઇષ્ટસંયોગોભર્યા જીવન, અને એની પાછળ કામ-ક્રોધાદિની પ્રવૃત્તિનાં જીવન જીવી જીવીને આત્મામાં સિમેન્ટ ક્રોંકીટના પાયે મજબૂત થયેલી એની આસ્થા અને કુસંસ્કારો, એવાં ને એવાં જીવન ઊભા રહીને, શી રીતે મંદ પડે ? શી રીતે મંદ પડીને હૃાસ પામી ચાલતા થાય ? કહો કે એ બાહ્ય જીવનમાં ઓછપ લાવવી ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322