________________
( ૨૫૦
એમ જ અહિંસાદિ પાંચ એ યમ કહેવાય છે; અને તપ, સ્વાધ્યાય, ઇશ્વર-પ્રણિધાન (ધ્યાન); ઇન્દ્રિયજય અને મનઃશુદ્ધિ એ પાંચને નિયમ કહેવામાં આવે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રાધ્યયન, મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન તથા તત્ત્વપઠનાદિ. આર્યોના આ યમનિયમનું પાલન એમને અનાર્ય અને મ્લેચ્છો કરતાં ઊંચી કક્ષામાં રાખે છે. એ પાલન પાછળ જો કોઈ સાંસારિક લાભની આશંસા નથી, તો એ મોક્ષરુચિ જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં ખૂબજ સહાય કરે છે. મોક્ષની પ્રીતિ એવી સહેલી વસ્તુ નથી કે વિરોધી સંયોગોના જોરમાં એમજ જાગી જાય અને ટકી જાય ! કેમ કે સાચી મોક્ષની રુચિ એટલે દુન્યવી સંયોગજન્ય કોઈ પણ સુખ પર રુચિ નહિ; હવે એ રુચિ ક્યારે જાગે કે ક્યારે ટકે? સંસારના ઈષ્ટ સંયોગોના જો તેટલા જ ભોગ-ઉપભોગના ઘેરાવાની વચમાં રત્યે જવાય તો અનાદિનો ઊંધો ટેવાયેલો જીવ શું પહેલેથી જ વીતરાગ દશાવાળો બની શકશે કે જેથી બહારના સંયોગોના ઉપભોગની એને કોઈ અસર નહિ થાય ? શી રીતે એમ બને? અનંત અનંત કાળના આહાર વિષય પરિગ્રહના ઇષ્ટસંયોગોભર્યા જીવન, અને એની પાછળ કામ-ક્રોધાદિની પ્રવૃત્તિનાં જીવન જીવી જીવીને આત્મામાં સિમેન્ટ ક્રોંકીટના પાયે મજબૂત થયેલી એની આસ્થા અને કુસંસ્કારો, એવાં ને એવાં જીવન ઊભા રહીને, શી રીતે મંદ પડે ? શી રીતે મંદ પડીને હૃાસ પામી ચાલતા થાય ? કહો કે એ બાહ્ય જીવનમાં ઓછપ લાવવી ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org