________________
મોક્ષરુચિ જગાવનારી વિકસવાનારી સાધનાઓ : સહજ ભાવમલ–ક્ષય—
અપુનર્બંધકતા-યોગપૂર્વસેવા— યોગબીજ–સંગ્રહ-માર્ગાનુસારિતાદિ
ભાવમલલય : ૩ લક્ષણ ચરમાવર્તમાં જીવ જે ઊંચો આવે છે એમાં શાસ્ત્રકાર કહે છે કે પહેલાં તો, આત્મામાં અનાદિનો રહેલો જે ‘સહજ ભાવમલ' એટલે કે તેવા તેવા પુદ્ગલનો સંબંધ થવાની યોગ્યતા, એનો હ્રાસ થાય છે; અને એ થવાના ત્રણ લક્ષણ પ્રગટે છે.
૧. દુ:ખી જીવો પર અત્યંત દયા.
૨. ગુણવાન ઉપર અદ્વેષ, (કોઇ પણ ગુણી જીવ પર દ્વેષ ન કરવો) દીન દુ:ખી વગેરે સૌ પ્રત્યે ઔચિત્ય પાળવું અને ૩. સર્વત્ર ઔચિત્યનું પાલન. (અનુચિત ન વર્તવું).
એટલે, આમાં ચાવી બતાવી દીધી કે જો તમારે અનાદિના સહજ ભાવમળનો ક્ષય નક્કી કરવો હોય તો આ ત્રણ ગુણ વિશે પુરુષાર્થ કરો. આમાં જે પહેલું લક્ષણ દયા, એ ક્યાંથી આવી શકે, જો ‘એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યને કાંઇ કરી શકતું નથી' એમ નવીન મતાનુસારે માની લેવાનું હોય ? કેમ કે એમ માની લેવામાં તો પછી આપણી દયા બીજા જીવને કોઇ જ લાભની નથી એમ લાગે. એવી રીતે ગુણવાન ઉપર દ્વેષ નહિ કરવો પણ પ્રેમ રાખવો, એ પણ વસ્તુ નવીન મતે અયોગ્ય ઠરે; કેમ કે એમાં તો રાગ ક૨વાનું આવ્યું; અને રાગ એ તો આત્માનો દોષ છે ! ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org