________________
(૨૪૨
ઓછી કરવાની શી જરૂર? આત્માને કાયિક બ્રહ્મચર્ય અને સદાચાર સુદ્ધાં પાળવાનું એમના મતે કોઈ ફળ નહિ, તો પછી એનુંય પાલન શા સારું ? આમ નવીન મતે આહાર-વિષય-પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી કરવાનું કે તપસ્યા-શીલ-દાનની ક્રિયાઓ આચરવાનું આત્માને ઉપયોગી નથી; તેથી જ એમાં કોઈ ધર્મ નથી. એટલે (૪) એના બદલે “અંતરાત્માની શુદ્ધિ કરો, રાગાદિ વિભાવો દૂર કરો, આત્માના શુદ્ધ વીતરાગી સ્વરૂપને ઓળખી ક્યાંય કાવત્ દેવાધિદેવ પરમાત્મા કે સદૂગર ઉપર પણ રાગવાળા ન બનો...' આવા આવા દોઢ ડહાપણમાં નવીન મતીનું મહામૂલું માનવ જીવન વેડફાય છે. (૫) નથી એને શત્રુંજયાદિ મહાતીર્થોની કે શ્રી આદીશ્વરદાદા વગેરેના અદ્ભૂત બિંબો ની ભક્તિ ઉપાસના કરવાની; કે (૬) નથી એને આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિમહર્ષિઓની સેવા શુશ્રુષા કરવાની. ઉલટું, (૭) એને તો
અહો ! આ પાષાણ અને આ પાખંડીઓથી તરવાનું અજ્ઞાન ઠીક ચાલી પડ્યું છે !' એમ મશ્કરી કરી એની ઉપાસના કરતા હોય તો તે મૂકી દેવાની છે, અને કામપાત્ર, રસમય આહાર, વિષયો, પરિગ્રહ અને આરંભ-સમારંભાદિની ઉપાસના કર્યો જવાની છે ! (૮) નવીન મતીને આ બધા આહાર-વિષયાદિથી જરાય ડરવાનું નથી, એ એક મહાન આશ્ચર્ય છે ! એને તો ડરવાનું છે ધર્મક્રિયાઓથી ! ત્યાગ તપસ્યાથી ! દાનશીલથી ! વ્રત-પચ્ચકખાણોથી ! માનેલા મિથ્યાત્વોથી ડરવાનું છે ! “રખેને એ બધાથી ભાવવૃદ્ધિ ન થાય! વાહ ! કેટલું ભયાનક અજ્ઞાનતાંડવી કેટલી કારમી ગાઢ મિથ્યાત્વની રીબામણ ! કેવા ભયંકર ભવભ્રમણની વૃદ્ધિના કારસ્તાન !
બે પ્રવેશ: વ્યવહારરાશિ અને ચરમાવર્ત - હવે આપણે એ જોઇએ કે વસ્તુગત્યા આત્મા કેવી રીતે ઉંચે આવે છે. જૈન સિદ્ધાંત કહે છે કે સંસારમાં બે પ્રવેશ અતિ મુશ્કેલીભર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org