________________
( ૨૪૧
નકામી, પર-દ્રવ્ય કાંઇ કરતું નથી, નિમિત્ત કારણ નકામું છે'...વગેરે વગેરે ભ્રમણાના પોપટ-પાઠમાં જીવન વેડફાય જાય છે ! તો એમનું ભાવી કેવું થશે !! ખૂબી તો જુઓ કે,
નવીન મતે આપત્તિ - (૧) નવનમતીઓ ખાટાં, મીઠાં કે તીખા તમતમતા રસદાર ભોજનો કર્યો જાય તો એ ભોજનક્રિયા તો જડની ક્રિયા છે, એની કાંઈ અસર એમને આત્મા ઉપર માનવાની નથી, તેથી એમાં ઓછપ કરવાની શી જરૂર ? તેમ ઓછપ કરનારી ક્રિયા જેવી કે તપસ્યા, રસત્યાગ વગેરેની એમને ત્યાં શી યોજના ? (૨) એમ એમના સિદ્ધાંત મુજબ લક્ષ્મી ઉપાર્જવાના, નોકરી-વેપાર-વકીલાત-ડૉકટરી વગેરે ઉપાયોની કાર્યવાહીને આત્માને શુદ્ધાશુદ્ધ ભાવો સાથે કાંઈ લાગતું-વળગતું નથી. તેથી પરિગ્રહની એ કાર્યવાહી ઓછી કરવાનો કે મમતા કાપનારી દાનાદિ ક્રિયાની એમને શી જરૂર? (૩) અરે ! આગળ વધીને વિચારીએ તો એમનો નિમિત્તની નપુંસકતાનો સિદ્ધાંત, એમનો-“જડક્રિયાની ચેતનાના ગુણદોષ ઉપર કોઈ અસર નહિ'એવો સિદ્ધાંત એમને મૈથુનની ક્રિયાય ઓછી કરવાનું શા માટે કહે ? કેમ કે કામ-પાત્રનાં ગમે તેવા અંગ-ગૂંથણ એ તો જડ શરીરની ક્રિયા છે. એની પર એવા આત્મ-દ્રવ્યના રાગ વાસનાદિ ઉપર એમના મતે કોઈ અસર નથી ! તેથી એમને એને ઓછી કરવાની જરૂર નથી! ઓછા તો રાગાદિને કરવાના ! બાહ્ય ક્રિયાને નહિ ! વળી એ ગલીચ ક્રિયાઓ તે તે ગાત્રોના પહેલેથી જ નિયત થયેલા ક્રમબદ્ધ પર્યાય છે; એથી એ કાંઈ આત્માના વાસના-કામરાગાદિ અશુદ્ધ ભાવોથી પ્રવર્તે છે એવું નથી. એટલે કે વાસનાદિ વિના પણ પ્રવર્તી શકે; અને એમાં વાંધો શો ? આત્મદ્રવ્ય જુદું છે, શરીર દ્રવ્ય જુદું છે; તેથી આત્માના રાગાદિભાવોની અસર શરીર ક્રિયા ઉપર હોય જ નહિ. એટલેય રાગાદિભાવો રહે કે ન રહે, પણ શરીરની એ કામ-ચેષ્ટાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org