________________
૨૪૩
(૧) એક તો અનાદિકાળથી ચાલી આવતી એકધારી જે નિગોદપણે જ જન્મવા-મરવાની સ્થિતિ નામની અવ્યવહારરાશિ, એમાંથી બહાર નીકળી પૃથ્વી-કાયાદિ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય ને પંચેન્દ્રિયપણારૂપી વ્યવહાર રાશિમાં પ્રવેશ કરવાનું મળે એ અતિ મુશ્કેલ છે.
(૨) બીજો પ્રવેશ અચરમાવર્તકાળમાંથી ચરમાવર્તકાળમાં પેસવાનું મળે તે કઠીન છે.
ચરમાવર્તકાળ એટલે ? - પહેલો પ્રવેશ હજી અભવ્ય જીવને પણ મળી જાય છે, પણ બીજો પ્રવેશ તો અભવ્યને મળતો જ નથી. કેમ કે ચરમાવર્તિકાળ એટલે મોક્ષે જવાના સમય પૂર્વનો એક પુદ્ગલપરાવર્તનો કાળ. ચરમાવર્તનો અર્થ સંસારકાળનો છેલ્લો પુદ્ગલ-પરાવર્તન કાળ. અભવ્ય જીવનો તો કદીય મોક્ષ જ થવાનો નથી; એટલે અભવ્યનો સંસારકાળ સદા ચાલવાનો હોઇ એનો અંત આવવાનો નહિ હોવાથી, એના સંસાર કાળનો કોઇ પુદ્ગલ-પરાવર્તકાળ છેલ્લો છે જ નહિ. ભવ્ય જીવને મોક્ષ થાય છે. તેથી એ થવા પૂર્વેનો જે સાંસારિક છેલ્લો પુદ્ગલ-પરાવર્તકાળ, એને ચરમાવર્તકાળ (ચરમ=છેલ્લો; આવર્તકપુગલ-પરાવર્ત) કહેવાય છે. એની પૂર્વના એના બધા પુદ્ગલ-પરાવર્તે એ અચરમાવર્તે છે. એ વટાવીને અંતિમ પરાવર્તમાં પ્રવેશ કરવાનું પણ મોંઘેરું છે. કેમ કે એ પોતાના હાથની અર્થાત્ ઉદ્યમની વસ્તુ નથી. એ તો કાળની વસ્તુ છે. પૂર્વનો એટલો અનંત અનંતો કાળ વીતે, પછી છેલ્લો આવર્ત આવીને ઊભો રહે છે. ચરમાવર્તની પૂર્વના અચરમાવર્ત કાળમાં આપણે અનંતા પુદ્ગલપરાવર્તે દુઃખમાં રીબાતા વેઠી આવ્યા છીએ, એ ખાસ યાદ રહે.
અચરમાવર્તમાં ધર્મક્રિયા ! - અચરમાવર્ત કાળમાં જીવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org