________________
૨૪૪
ત્ર હોય છે. છે. પાતાનું,
માલામી!બે રે
દશા પૂર્વે કહ્યું તેમ આહારાદિ સંજ્ઞાઓમાં એકાકારતાની હોય છે. જીવની દૃષ્ટિ કેવળ સંસારની હોય છે; મોક્ષદૃષ્ટિનું નામ-નિશાન ત્યાં હોતું નથી ! વાસ્તવિક આત્મહિત માટેની કોઈ લાગણી જીવને ત્યાં જાગી શકતી જ નથી ! એક માત્ર પૌગલિક સુખની જ ભૂખ રહ્યા કરે છે. એવા જીવને કદાચ તીર્થંકરદેવ જેવા પણ મળી જાય, એમની જોરદાર ધર્મવાણીય સાંભળે; પરંતુ એમાંથી બહુ બહુ તો એને લેવાનું એટલું જ આવડે કે “હું આ ધર્મક્રિયા, આ ત્યાગ, આ તપ, આ ચારિત્ર સાધું તો મને પણ સારાં સારાં માનપાન મળે, ભોજન મળે, વસ્ત્રાદિ મળે, પૈસા મળે. થાવત્ મોટા શિષ્યાદિના પરિવાર કે ભક્તોના સમૂહ મળે કે પરભવે સ્વર્ગાદિના સુખ મળે.' મોક્ષની લેશ પણ શ્રદ્ધા એને થતી નથી. રસ, ઋદ્ધિ અને શાતા મેળવવાની જ ગાઢ આસક્તિ એને હોય છે ! પછી તે માટે એ ધર્મક્રિયાઓ, ત્યાગ, તપસ્યા વગેરે આદરે પણ છે. પરંતુ એ બધાનું લક્ષ્ય શું? એજ આહારવિષય-પરિગ્રહનું, રસ-ઋદ્ધિ-શાતાનું, માન અને પાનનું! અહાહા! કેવી કંગાળ દશા જીવની ! કેટલી પુદ્ગલની ગુલામી ! સ્વ સમૃદ્ધિના વિસ્મરણ સાથે કેવી પરની લગની ! ધર્મક્રિયા કરવાના હિસાબે તે
ત્યાં મળે પણ છે; પરભવમાં પણ મળે છે; પરંતુ અહાહા ! એ સંજ્ઞાનું જોર ! આસક્તિની ચિકાશ ! કષાયોના તાંડવ! હિંસા-જૂઠઅનીતિ-કામાંધતા કુચેષ્ટા અને મિથ્યાત્વાદિ પાપોની ભરચકતા! ઇત્યાદિ સેવીને ફળરૂપે તો ચિરકાળ ભયંકર દુર્ગતિઓમાં ભમવાનું જ ને? આ જે ભવભ્રમણ મળ્યું એ જીવની કઈ ભૂલના કારણે? નહિ કે નૂતન મત કહે છે તેમ ધર્મક્રિયા કરવાની ભૂલના કારણે, નહિ કે પુણ્યના માર્ગ આરાધવાની ભૂલના કારણે, નહિ કે નિશ્ચયધર્મ વિસરીને વ્યવહારધર્મની રસિકતા-નિમિત્તની પ્રધાનદષ્ટિ-પરદ્રવ્યની અસરકારતાની માન્યતા વગેરે ભૂલના કારણે. કિંતુ ભૂલ એ છે કે સ્વપ્ન પણ મોક્ષ જેવી વસ્તુ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org